પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
૭૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



“અમે પ્રાતઃકાળે સ્નાન કરીને કાજળ નહિ આંજીએ.

“અમે પુષ્પમાળા નહિ ધારણ કરીએ.

“વળી ન કરવા યોગ્ય એક પણ કાર્ય અને નહિ કરીએ; ખરાબ શબ્દનો અમે ઉચ્ચાર નહિ કરીએ. અમે ગરીબોને ભિક્ષા આપીશું અને પ્રભુમય જીવન વ્યતીત કરીશું.”

દેશ સમૃદ્ધિશાળી અને ફળદ્રુપ કેમ થાય એ સંબંધમાં એ ભક્તિમતી નારી લખે છે: “જો આપણે પ્રાઃતકાળમાં સ્નાન કરીને પ્રભુને પુષ્પમાળા ધારણ કરાવીએ અને એ સદાચારી દેવ ના નામનો જપ નિયમિત રીતે કરીએ તો આપણી ભૂમિમાં ખરાબ દિવસ કદાપિ ન આવે, વરસાદ પુષ્કળ વરસે, મહિનામાં ત્રણ ઝાપટાં થાય, ડાંગરનાં ખેતરમાં પુષ્કળ પાક ઊતરે, માછલીઓ જગ્યાએ જગ્યાએ ઊભરાઈ જાય, પુષ્પની કળીઓ મધથી ભરાઈ જાય અને પતંગોને પોતાના તરફ આકર્ષે; ગાયો અલમસ્ત થાય અને ચરુના ચરુ ભરીને દૂધ આપે. આ પ્રમાણે (પ્રભુભક્તિના મહિમાથી )દેશ અગાધ સુખ ભોગવે.”