પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૭ મો
૫૭
સાર-શાકુંતલ


રાજા

કેમ રડે તું તો હવે, સુંદરી રે–ટેક.
બાષ્પથી અટક્યો જયશબ્દ બોલી, તોપણ જિત્યૂં મેં પ્રમાણ-કેમ૦
ઓઠપૂટને રંગ ન લાગ્યો મુખ તુજ દિઠું એ સુજાણ–કેમ૦ ૧૩૩

બાળક— અંબા ! કોણ એ ?

શકું૦— વત્સ ! તારાં ભાગ્યને પૂછ.

રાજા— (પગે પડે છે)

સુતનુ તારા હૃદયમાંથી તજ્યાનું માઠું કાઢ,
કિમપિ ત્યારે મંન મારે મોહ હતોજ બળાઢ;
પ્રબળ તમની ઘણુંકરીને એવિ વૃત્તિ શુભ ટાણે,
શિરે નાખી માળ ઝટકે સર્પ અંધજન જાણે. ૧૩૪

શકું— ઉઠો ઉઠો આર્યપુત્ર ! એમ કાં નહિ કે મારાં સારાંને નડે તેવાં પેલા ભવનાં કર્મ તે. તે દિવસોને વિષે પોતાનાં સર્જિત ફળને પામવાનાં હશે, માટેજ દયાવાન છતે આર્યપુત્ર મારે વિષે વિરસ થયા. (રાજા ઉઠેછે) વારૂ કેવી રીતે આર્યપુત્રને હું અભાગણીની સ્મૃતિ થઈ ?

રાજા

અાંખલડી લોવા દે;

સુતનુ સલુણ અાંસુ પાંપણ અડતાં–અાંખ૦

મોહથકી મેં લેખ્યું ન પૂર્વે, અધર પડી ઉનાં બુંદ જે નડતાં–અાંખ૦
પ્યારી હવે તો કહીશ બધૂંએ, હૃદયની શીલાશોક ઊપડતાં–અાંખ૦

શકું— (નામમુદ્રા જોઈ) આર્યપુત્ર ! આજ તે અંગુઠી કે ?

રાજા— એ અંગુઠી મળી આવી કે સ્મૃતિ થઈ આવી,

શકું— ખરે એણે વિષમ કીધું. આર્યપુત્રને પ્રતીતિ થાય તેવી વેળાએ એ દુર્લભ થઈ રહી.

રાજા— તો હવે ઋતુનું ચિન્હ જે પુષ્પ તેને લતા ધારણ કરે.

શકું— હુંતો હવે એનો વિશ્વાસ નહિ કરૂં, આર્યપુત્ર ! તમેજ એને પહેરો.

(એટલે માતલી આપે છે.)

માતલી— ધન્ય ભાગ્ય, ધર્મપત્નીને સમાગમે ને પુત્રમુખદર્શને આયુષ્યમન્ ! પ્રસન્ન વદો છો.

રાજા— મારો મનોરથ સ્વાદિષ્ટ ફળને પામતો હતો માતલી ! આ વૃત્તાંત ઈંદ્રે જાણ્યું હશે કે ?