પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
સરદાર વલ્લભભાઈ
ભલે અમારા વિચારો જુદા પડતા હોય પણ દેશનું સ્વાતંત્ર્ય હાંસલ કરવાની બાબતમાં અમે એક હતા.”

બીજા સમાજવાદી કાર્યકર્તાઓ કરતાં ગાંધી વિચારના નેતાઓનું જવાહરલાલજી સાથે વધારે બનતું હતું તેનું કારણ તો જવાહરલાલજીએ નીચે પ્રગટ કરેલા વિચારોમાં રહેલું છે :

“મારે જે જોઈએ છે તે એ છે કે આપણા અર્થકારણમાંથી નફાનું તત્ત્વ નાબૂદ થાચ અને તેને સ્થાને સમાજની સેવા કરવાની વૃત્તિની સ્થાપના થાય. હરીફાઈનું સ્થાન સહકાર લે. ઉત્પાદન નફાની દૃષ્ટિએ ન કરવામાં આવે પણ સમાજને ઉપયોગની ચીજો પેદા કરવા માટે કરવામાં આવે. આ હું એટલા માટે ઇચ્છું છું કે હિંસા અથવા ખુનામરકીનો મને તિરસ્કાર છે. હું એને ધિક્કારવાજોગ વસ્તુ ગણું છું. અત્યારની આપણી તમામ વ્યવસ્થાના પાયામાં હિંસા રહેલી છે તેને હું રાજીખુશીથી સહન કરું એમ નથી. મારે એવી વ્યવસ્થા જોઈએ છે જે સ્થાયી સ્વરૂપની હોય; જેમાં કોઈના ઉપર દબાણ ન હોય, જેના મૂળમાંથી હિંસા નાબૂદ થયેલી હોય, જેમાંથી તિરસ્કારને કાઢી નાખી ભ્રાતૃભાવની લાગણીઓની સ્થાપના થયેલી હોય. આ બધાંને હું સમાજવાદ કહું છું.”

જવાહરલાલજીની વિચારસરણી સમાજવાદી હોવા છતાં તેમના આવા વિચારોને કારણે જ તેઓ સમાજવાદી પક્ષમાં ભળી શકતા નહીં. સમાજવાદી પક્ષની પ્રચાર કરવાની રીત ઉપરથી ઘણી વાર એમ દેખાતું કે તેમનું સાધ્ય ભલે શુદ્ધ હોય પણ તેને માટે શુદ્ધ સાધનોનો આગ્રહ રાખવા તેઓ તૈયાર ન હતા. જ્યારે જવાહરલાલજીની સત્યપરાયણતા અને અહિંસાપ્રેમ એવાં હતાં કે તેઓ અશુદ્ધ સાધનોની બરદાશ કરી શકતા નહીં. વળી ગાંધીજીની બધી વાતો તેમને માન્ય નહોતી, છતાં ગાંધીજીના નેતૃત્વમાં તેમને એટલી શ્રદ્ધા હતી કે પહેલાં પહેલાં ગાંધીજીની વાતનો તેઓ વિરોધ કરતા પણ છેવટે તો તેઓ ગાંધીજીના કાર્યક્રમને અનુસરતા. એટલે એકંદરે સમાજવાદી મિત્રો કરતાં સરદાર, રાજેન્દ્રબાબુ વગેરે જૂના કૉંગ્રેસી આગેવાનો સાથે તેમનું વધારે મળતું આવતું. આ આગેવાનોને પણ જવાહરલાલજીની કાર્યદક્ષતા, ત્યાગ, વીરતા વગેરે પ્રત્યે ઘણો આદર હતો, એટલે એમનાથી છૂટા પડવું એમને કોઈ રીતે ગમતું ન હતું. જવાહરલાલજી પણ જાણતા હતા કે પ્રાંતિક કાર્યોકર્તાઓમાં અને આમજનતામાં આ આગેવાનોનો પ્રભાવ વધારે પડતો હતો. એટલે તેઓ પણ આ આગેવાનોથી છૂટા થવા ઈચ્છતા નહોતા. આમ બંનેને એકબીજા પ્રત્યે પૂરો આદરભાવ હતો. આપણે આગળ જોઈશું કે ફૈઝપુર કૉંગ્રેસના પ્રમુખની ચૂંટણી વખતે આ વસ્તુ બંને પક્ષે જાહેર રીતે સ્પષ્ટ કરી.

લખનૌ કૉંગ્રેસ આગળ મુખ્ય બે પ્રશ્ન હતા. એક તો રાજકીય સુધારા વિષે એટલે કે નવા ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા ઍક્ટ વિષે પોતાની નીતિ જાહેર