પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨૯
ત્રિપુરી કૉંગ્રેસ

આગ્રહ કરીને કહેલું કે તમારે જ આ વખતે પ્રમુખ થવું જોઈએ. પણ તેઓ ન થવાના પોતાના નિશ્ચચને દૃઢતાપૂર્વક વળગી રહ્યા. પરંતુ જાન્યુઆરીની ૧૫મી ને રવિવારે તેઓ પરોઢિયે ગાંધીજી પાસે આવ્યા અને કહ્યું કે તમારું કહ્યું ન માનું એ મારે માટે ભારે સંકોચની વાત છે. એટલે હું પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ઊભો રહીશ. અમે જાણતા હતા કે કેટલાક આંધ મિત્રોએ ડૉ. પટ્ટાભીના નામની દરખાસ્ત કરી હતી. સુભાષબાબુના નામની દરખાસ્ત હતી એ પણ અમે જાણતા હતા. પણ અમારી ખાતરી હતી કે બંને હરીફાઈમાંથી ખસી જશે અને મૌલાના સાહેબ સર્વાનુમતે ચૂંટાશે.

“ બારડોલીમાં એક યા બીજે વખતે મૌલાના અબુલ કલામ આઝાદ, પંડિત જવાહરલાલ નેહરુ, બાબુ રાજેન્દ્રપ્રસાદ, શ્રી ભૂલાભાઈ દેસાઈ, આચાર્ય કૃપાલાની, મહાત્મા ગાંધી તથા હું, પહેલેથી નક્કી કર્યા પ્રમાણે નહીંં પણ અકસ્માત, ભેગા થઈ ગયા અને અવૈધ મસલત કરીને અમે નક્કી કર્યું કે જો મૌલાના પ્રમુખ ન થવાના નિશ્ચયમાં કાયમ જ રહે તો બંધારણ અનુસાર બીજી પસંદગી ડૉ. પટ્ટાભીની જ રહેતી હતી. કારણ અમારો એ સાફ મત હતો કે સુભાષબાબુને ફરી ચૂંટવા એ બિનજરૂરી છે. અમારા મનમાં તો નરમ વિચારના ( રાઇટિસ્ટ ) અથવા ઉદ્દામ વિચારના (લેફ્ટિસ્ટ ) એ પ્રશ્ન કદી ઊઠ્યો જ નહોતો.

"એ ચાદ રાખવા જેવું છે કે ગયે વરસે જ્યારે સુભાષબાબુની પસંદગી થઈ ત્યારે આ વૃખતે જે પદ્ધતિ અખત્યાર કરવામાં કરવામાં આવી છે તે જ પદ્ધતિ બરાબર અખત્યાર કરવામાં આવી હતી. સુભાષબાબુ એ બરાબર જાણે છે. તે વખતે બીજા ઉમેદવારોને પોતાનાં નામ ખેંચી લેવાનું સમજાવતાં અમને કશી મુશ્કેલી પડી નહોતી.

"મૌલાના સાહેબે તે વખતે તો સંમતિ આપી પરંતુ મુંબઈ પહોંચ્યા પછી તેમના દિલમાં વળી પાછો ખળભળાટ જાગ્યો અને તેમણે વિચાર્યું કે આ ઉચ્ચ પદનો બાજો તેઓ ઉઠાવી શકશે નહીં. એટલે તેઓ ગાંધીજી પાસે પાછા બારડોલી આવ્યા અને પોતાને મુક્ત કરવા વિનંતી કરી. મૌલાનાને બીજી વાર આગ્રહ કરવાનું ગાંધીજીને દુરસ્ત ન લાગ્યું. પછી શું બન્યું છે તે દેશ જાણે છે.

“ મને દુ:ખ તો એ બાબતનું થાય છે કે સુભાષબાબુ અમે સહી કરનારાઓ ઉપર તથા કારોબારી સમિતિની બહુમતી ઉપર અમુક હેતુઓનું આરોપણ કરે છે. તેના જવાબમાં હું એટલું જ કહીશ કે ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍકટની સમૂહતંત્રની યોજના કોઈને પસંદ હોય અથવા કોઈને તે જોઈતી હોય એવા કોઈ સભ્યને હું જાણતો નથી. વસ્તુસ્થિતિ તો એ છે કે કોઈ એક સભ્ય અથવા તો તે તે વખતે કૉંગ્રેસના જે પ્રમુખ હોય તે, આવા મોટા મુદ્દા ઉપર કોઈ પણ જાતનો નિર્ણચ કરી શકે નહીં. એ નિર્ણય તો માત્ર કૉંગ્રેસ જ કરી શકે. અને જ્યારે કૉંગ્રેસની બેઠક ચાલતી ન હોય ત્યારે કોંગ્રેસની કારોબારી સમિતિ સામુદાયિક રીતે તે વિષે નિર્ણય કરી શકે, કારોબારી સમિતિને પણ કોંગ્રેસની જાહેર કરેલી નીતિના શબ્દ કે ભાવને છોડીને કશું કરવાની સત્તા નથી.

“ એ વિચાર સાથે પણ હું સહમત નથી કે કૉંગ્રેસના પ્રમુખને કોઈ નવી નીતિ અખત્યાર કરવાની સત્તા છે. કારોબારી સમિતિની સંમતિથી જ તે તેમ