પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૭૬


પ્રકરણ ૨૧ મું
સૂરતની સૂરત !

શિવાજીના કાનમાં નવાબના ગોળાનો ત્રીજો અવાજ જતાંની સાથ મનમાં અતિશય ભય ઉત્પન્ન થયો. તુર્તાતુર્ત પોતાની “કેવેલરી” ને તૈયાર કરવાનો પેગામ મોકલી, તેઓને સજ થવા વરદી આપી. ઘણાં ફાંફાં માલુસરેએ નવાબને મારવાને માટે માર્યા પણ તે ફોકટ ગયાં ને હુકમ મળતાં એકદમ પોતાને શિવાજીની મંડળીમાં દાખલ થવા જવું પડ્યું. મંડળમાં ઘણા વિચાર થયા, પણ વખત થોડો હતો તેથી કંઈ પણ નક્કી કરે તે પહેલાં ધોડેસ્વાર લશ્કરનાં પગલાં સંભળાયાં. આવતા ભયને નિવારવા શિવાજીએ ઘણી મહેનત લીધી પણ તે વ્યર્થ ગઈ. લગોલગ લશ્કર આવી પહોંચ્યું, અને તે ટૂટી પડે તેટલો વિલંબ હવે હતો. સધળું વેરણ ખેરણ થઈ જવાથી પોતાના ચારે સ્વાર સાથે ગ્યાસુદ્દીન રૂમી નાસી ગયો નહિ, પણ બેધડક જે થાય તે જોવાને માટે ઉભો રહ્યો.

પણ એટલામાં બીજી બાજુથી નવસારીના દેશાઈનું લશકર આવી પહોંચ્યું ને તેઓએ દંડ લેવાની માંગણી કીધી. માંડવીમાંથી પણ ત્યાંનો ઠાકોર આવ્યો ને તેણે પણ એવો જ હુકમ મોકલ્યો હતો. કશી પણ આનાકાની વગર તાબે થવાને સૂચવ્યું હતું, પણ જે જે શરતોની માંગણી કીધી હતી, તે તે શરતો એટલી તો કરડી હતી કે, તે વાંચતાં જ શિવાજી બબ્બે મથોડાં ઉછળ્યો. તેણે નક્કી જાણ્યું કે, નવાબને ઘણી સજ્જડ મદદ મળી છે ને તે હવે આપણને સાંગોપાંગ જવા દે તેવો નથી. તેની આંખમાં ઝળઝળીયાં ભરાઈ આવ્યાં ને પોતાની અમર કીર્તિ જતી રહેવાનો આવો સાંકડો સમય આવ્યો, તે માત્ર પોતાના ઉતાવળીયા તથા અયોગ્ય કર્મને લીધે બન્યું છે, એમ જાણીને તેણે એક મોટો નિશ્વાસ મૂક્યો.

જે પ્રતિનિધિ નવસારી ને માંડવીવાળા તરફથી આવ્યો હતો, તેનો ભવ્ય દેખાવ ને ક્રોધિતમૂર્તિ જોઈને મરાઠી લશ્કર ચૂપ રહી ગયું. પેગામચી