આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૫)
મંછી : | (નવલને પૂછે છે) મલુકચંદ કેટલા વરાસનો થયો? |
નવલવહુ : | વરસ તો મને ગણતાં આવડતાં નથી, પણ એટલું સાંભરે છે કે ટીડ આવ્યાં હતાં, એ વરસે મલુકચંદ પેટમાં હતો. |
પ્રેમકોર : | ત્યારે દશ વરસનો થયો હશે. |
નવલ : | (હરકોરને પૂછે છે) તમારો દીકરો જીવતો હોય તો આજ કેવડો હોય? |
હરકોર : | અરે બાઈ, મોટો બધો હોય, મારી કાકી મરી ગયાં ત્યારે તે છ મહિનાનો હતો. |
પ્રેમકોર : | અરે મા, કાંઈ દીકરા આવે રાચ્યાં ? શીળી, તાવ, ઓરી , અછબડા હજાર હજાર રોગ છે, તેમાંથી ઉગરે ત્યારે ખરૂં.
(એટલે ભરૂંસાથી ખુશી ન થવું) |
મંછી : | નવલ વહુનું શરીર કેમ પીળું લાગે છે ? |
પ્રેમકોર : | એમનું શરીર કસુવાવડને રોગે એવું થઈ ગયું છે. |
મંછી : | અરરર, કસુવાવડ તો બહુ વસમી; કહેવત છે કે " સો સુવાવડ, ને એક કસુવાવડ." |
પ્રેમકોર : | તમારી આંખ્યો કેમ રાતી છે ? |
મંછી : | મારી આંખ્યો દુખવા આવી છે. |
પ્રેમકોર : | આંખ્યોનું દરદ તો બહુ વસમું છે. |
પ્રેમકોર : | ઝવેરચંદ છ વરસ થઆં આંખ્યો દુખે છે, કંઈ કંઈ ઓસડ કર્યો પણ ફેર પડતો નથી. |
હરકોર : | કાંઈ ઘરનું બાહરનું હોય, માટે કોઈ જાણતું હોય |