પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૪


સુત્રરૂપ ગણી છે. જે દેશનું જે જીવન સુત્ર હોય તેમાંજ તેના જીવનને વહેવરાવવામાં આવે તોજ તેની ઉન્નતિ થાય છે. તે જીવન સુત્રનો વિકાસ કરો એટલે પ્રજા પણ વિકાસને પામશે અને તેનો ક્ષય કરો એટલે પ્રજા પણ ક્ષય પામશે; એ સિદ્ધાંત આ મહા જીવને સર્વને આપેલો મહામંત્ર છે.

આર્ય ઋષિમુનિઓના સિદ્ધાંતોમાં સ્વામીજીને સંપૂર્ણ શ્રદ્ધા હતી. જે પ્રજામાં આ ધાર્મિક ખજાનો છે; તે પ્રજાનો ઉદયજ થશે એવી તેમની દૃઢ માન્યતા હતી. વહેમ, કુરિવાજ અને મિથ્યા બંધનોથીજ આર્યધર્મનું ખરૂ સ્વરૂપ હણાયું છે એમ તેમના પોકાર હતો. જગતના મહાન પુરૂષો અને ઉદારાત્માઓ ધાર્મિક જ હોય છે; ખરા ધાર્મિક પુરૂષનું હૈયું, આધ્યાત્મિક બળ, वसुधैव कुटुंबकम् એ તત્વને અનુસરનારી સમદર્શિતા અને અખિલ વિશ્વનું કલ્યાણ કરવાની શક્તિ એ સર્વ અનુપમજ હોય છે, એમ તેમનું જીવન સુચવી રહ્યું હતું.

આપણો વેશ ગયો; આપણો વ્યાપાર ગયા; આપણી રૂઢિ ગઈ; આપણા રિવાજ ગયાઃ આચાર ફેરવાયા: વિચાર બદલાયા: ચારિત્ર ઘસાયું; શારીરિક બળ હણાયું; આર્યજીવન નાશ પામ્યું; આર્યવિદ્યાને તિલાંજલી મળી; આર્યધર્મ નષ્ટ થવા બેઠો; પાદરીઓનો બોધ અંતરમાં પેઠો; અને પાશ્ચાત્ય પ્રજાની દૃષ્ટિએ આપણે માલ વગરના તથા પાતાલવાસીઓને મન અભણ અને જંગલી જણાયા. આવી અધમ દશાના સમયમાં અગાધ ધૈર્ય ધરી અદ્વૈતનો ભગવો ઝૂડો હાથમાં ગ્રહી સ્વામીજીએ આ દેશમાં કાશ્મીરથી તે કન્યાકુમારી સુધી અને વળી પરદેશોમાં પણ સૌના મનમાં ઠસાવ્યું છે કે - હિંદનું સ્થૂલ શરીર ગમે તેવી સ્થિતિમાં હોય; તેનાં શહેરો ગમે તેવાં મૂર્ખ અને લૂંટણીયાં બની ગયાં હોય; પણ તેનો અંતરાત્મા કે જે ગામો અને ઝુંપડાંઓમાં વસી રહેલો છે તે હજી મરી નહિ જતાં હયાતજ