શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૪. જ્ઞાનના અતિચાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩. દ્વાદશાવર્ત્ત ગુરુવંદના સૂત્ર શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૪. જ્ઞાનના અતિચાર
જૈન ધાર્મિક સાહિત્ય
૫. દર્શન સમ્યક્ત્વ →



૪. પ્રતિક્રમણ આવશ્યક

૪. જ્ઞાનના અતિચાર


આજના દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું -

આગમે - સૂત્ર, સિધ્ધાંત
તિવિહે - ત્રણ પ્રકારનાં
પન્નતે - કહ્યાં છે
તં જહા - તે જેમ છે તેમ (કહું છું)
સુત્તાગમે - મૂળ સૂત્રરૂપ આગમ (એટલે ૩૨ શાસ્ત્રો)
અત્થાગમે - અર્થરૂપ આગમ (અથવા થોકડા વિગેરે)
તદુભયાગમે - સુત્ર અને અર્થરૂપ એમ બનેં રૂપે આગમ

એવા શ્રી જ્ઞાનને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું.

જં- જે
વાઈદ્ધં - સૂત્રો આઘા પાછાં ભણાયાં હોય (૧ )
વચ્ચામેલિયં - ધ્યાન વિના સૂત્રો ભણાયા હોય (૨)
હીણંક્ખરં - અક્ષરો ઓછા ભણાયા હોય(૩)
અચ્ચક્ખરં - અક્ષરો અધિક ભણાયા હોય (૪)
પયહીણં - પદ ઓછું ભણાયું હોય (૫)
વિણયહીણં - વિનય રહિત ભણાયું હોય (૬)
જોગહીણં - મન, વચન અને કાયાના અસ્થિર યોગે ભણાયું હોય (૭)
ઘોસહીણં - શુધ્ધ ઉચ્ચાર વિના ભણાયું હોય (૮)

સુઠુહિન્નં - રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય (૯)
દુટ્ઠુપડિચ્છિયં - અવિનીતપણે કે દુષ્ટભાવથી જ્ઞાન લીધું હોય (૧૦)
અકાલે કઓસજ્ઝાઓ - અકાળે* સજ્ઝાય કરી હોય (૧૧)
કાલે ન કઓ સજ્ઝાઓ - સજ્ઝાય કરવાને સમયે સજ્ઝાય ન કરી હોય (૧૨)
અસજ્ઝાઇએ સજ્ઝાયં - સજ્ઝાય ન કરવા યોગ્ય સ્થળે સજ્ઝાય કરી હોય (૧૩)
સજ્ઝાઇએ ન સજ્ઝાયં - સજ્ઝાય કરવા યોગ્ય સ્થળે સજ્ઝાય કરી ન હોય (૧૪)

એમ ભણતાં ગણતાં, ચિંતવતાં ચૌદે પ્રકારે કોઈ પાપદોષ લાગ્યા હોય તો અરિહંત, અનંતા સિધ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં.


નોંધ : - *બાર અકાળ : શાસ્ત્રોમાં બાર અકાલ કહ્યાં છે તે દરમ્યાન સૂત્રોના મૂળ પાઠ વંચાય કે ભણાય નહિ. આને અસ્વાધ્યાય પણ કહે છે. સવારે અને સાંજે સંધ્યાની એક ઘડી પહેલાં અને એક ઘડી પછી, (૨) મધયહ્ન કાળે અને મધ્ય રાત્રિએ પ્રાય: ૧૨ થી ૧ વાગ્યા સુધી, (૨) ચૈત્ર માસની સુદ પૂનમ અને વદ એકમ (૨) અષાડ માસની સુદ પૂનમ અને વદ એકમ (૨) આસો માસની સુદ પૂનમ અને વદ એકમ (૨) કારતક માસની સુદ પૂનમ અને વદ એકમ (૨) આટલા બાર અકાળના સમય છે. આ સિવાય પારંપારિક રીતે ફાગણસુદ પૂનમ- હોળી તથા ધુળેટીની અસ્વાધ્યાય કે અકાળ માનવામાં છે.