સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૭. અમૃતસરની મહાસભા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩૬. ખિલાફત બદલે ગોરક્ષા ? સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૩૭. અમૃતસરની મહાસભા
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૮. મહાસભામાં પ્રવેશ →


૩૭. અમૃતસરની મહાસભા

લશ્કરી કાયદાના અમલમાં જે સેંકડો નિર્દોષ પંજાબીઓને નામની અદાલતોએ નામના પુરાવા લઈ નાનીમોટી મુદ્દતની જેલમાં ગોંધી દીધા હતા, તેમને પંજાબની સરકર સંઘરી ન શકી. આ હડહડતા ગેરઈન્સાફની સામે એટલો બધો પોકાર ચોમેર ચાલ્યો હતો કે, સરકાર આ કેદીઓને જેલમાં વધારે મુદ્દત સંઘરી શકે એમ ન રહ્યું. એટલે મહાસભા ભરાય તે પહેલાં ઘણાં કેદીઓ છૂટી ગયા. લાલા હરકિસનલાલ વગેરે આગેવાનો બધા છૂટી ગયા. અને મહસભા ચાલતી હતી તે દરમ્યાન અલીભાઈઓ પણ છૂટીને આવ્યા. એટલે લોકોના હર્ષનો પાર જ ન રહ્યો. પંડિત મોતીલાલ નેહરુ, જેમણે પોતાનો ધંધો કોરે મૂકીને પંજાબમાં જ થાણું કર્યું હતું, તે મહાસભાના પ્રમુખ હતા. સ્વામી શ્રદ્ધાનંદજી સ્વગત મંડળના સભાપતિ હતા.

આજ લગી મહાસભામાં મારો ભાગ હિંદીમામ્ મારું નાનું સરખું ભાષણ કરી, હિંદીને સારુ વકીલાત કરવા પૂરતો ને સંસ્થાનવાસી હિંદીઓનો કેસ રજૂ કરવા પૂરતો હતો. અમૃતસરમાં મરે આથી વિશેષ કંઈક કરવું પડશે એવું મેં નહોતું ધાર્યું. પણ જેમ મારે વિષે પૂર્વે બન્યું છે તેમ જવાબદારી એકાએક આવી પડી.

બાદશાહનું નવા સુધારા વિષેનું ફરમાન પ્રગટ થયું હતું. તે મને પૂર્ણ સંતોષ આપે એવું તો નહોતું જ, બીજા કોઈને તો નહોતું જ ગમ્યું પણસદરહુ ફરમાનમાં સૂચવેલા સુધારા ખામીભર્યા છતાં તે સ્વીકારી શકાય એવા છે, એમ મેં તે વેળા માન્યું. બાદશાહી ફરમાનમાં મેં લૉર્ડ સિંહનો (કશી ભૂલ લાગે છે) હાથ જોયો હતો. તેની ભાષામાં આશાનાં કિરણો તે વેળાની મારી આંખ જોતી હતી. પન અનુભવી લોકમાન્ય, ચિત્તરંજન દાસ ઈત્યાદિ યોદ્ધાઓ માથું હલાવતા હતા. ભારતભૂષણ માલવીયાજી મધ્યસ્થ હતા.

મારો ઉતારો તેમણે પોતાની કોટડીમાં જ રાખ્યો હતો. તેમની સાદાઈની ઝાંખી મને કાશી વિશ્વવિદ્યાલયના પાયાને વખતે થઈ હતી. પણ આ વખતે તો તેમણે પોતાની કોટડીમાં જ મને સંઘર્યો, એટલે તેમની દિનચર્યા આખી હું જોઈ શક્યો ને મને સાનંદાશ્ચર્ય થયું. તેમની કોટડી એટલે ગરીબની ધર્મશાળા. તેમાં ક્યાંયે મારગ રહેવા નહોતો દીધો. જ્યાં ત્યાં માણસો પડ્યા જ હોય. ત્યાં નહોતી મોકળાશ, નહોતી એકાંત. ગમે તે માણસ ગમે તે વખતે આવે ને તેમનો ગમે તેટલો વખત લઈ જાય. આ ઘોકલના એક ખૂણામાં મારો દરબાર એટલે કે ખાટલો ભરાયો હતો.

પણ મારે આ પ્રકરણ માલવીયજીની રહેણીના વર્ણનને અર્થે નથી આપ્વાનું, એટલે વિષય ઉપર આવું.

આ સ્થિતિમાં માલવીયજીની જોડે રોજ સંવાદ થાય, તે મને બધાનો પક્ષ મોટો ભાઈ નાના ભાઈને સમજાવે તેમ પ્રેમપૂર્વક સમજાવે. મેં મારો ધર્મ સુધારા વિષેના ઠરાવમાં ભાગ લેવાનો ભળ્યો. પંજાબના મહાસભાના રિપોર્ટની જવાબદારીમાં મારો ભાગ હતો. પંજાબને વિષે સરકાર પાસેથી કામ લેવાનું હતું; ખિલાફતનું તો હતું જ. મૉંટેગ્યુ હિંદને દગો નહીં દેવા દે એમ પણ મેં માન્યું હતું. કેદીઓના અને તેમાં ય અલીભાઈઓના છુટકારાને મેં શુભ ચિહ્ન માન્યું હતું. એટલે મને લાગ્યું કે, ઠરાવ સુધારા કબૂલ રાખવાનો હોવો જોઈએ. ચિત્તરંજન દાસનો દ્રઠ અભિપ્રાય હતો કે, સુધારાને છેક અસંતોષકરક ને અધૂરા ગણી તેમને અવગની નાખવા જોઈએ. લોકમાન્ય કંઈક તટસ્થ હતા, પણ દેશબંધૂ જે ઠરાવ પસંદ કરે તેની તરફ પોતાનું વજન મૂકવાનો તેમણે નિશ્ચય કર્યો હતો.

આવી રીઢા થયેલા, કસાયેલા સર્વમાન્ય લોકનાયકોથી મારો મતભેદ મને પોતાને અસહ્ય લાગ્યો. બીજી તરફથી મારો અંતર્નાદ સ્પષ્ટ હતો. મેં મહાસભાની બેઠકમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પંડિત મોતીલાલ નહેરુને અને માલવીયજીને સૂચવ્યું કે, મને ગેરહાજર રહેવા દેવાથી બધા અર્થ સરશે, ને હું મહાન નેતાઓની સાથેના મતભેદનું પ્રદર્શન કરવામાંથી ઉગરી જઈશ.

આ સૂચના આ બન્ને વડીલોને ગળે ન ઉતરી. લાલા હરકિસનલાલને કાને જતાં તેમણે કહ્યું: 'એ કદી બને જ નહીં. પંજાબીઓ ઉપર ભારે આઘાત પહોંચે. ' લોકમાન્ય સાથે, દેશબંધૂ સાથે મસલત કરી. મિ. ઝીણાને મળ્યો. કેમેય રસ્તો નીકળે. મારી વેદના મેં માલવીયજી આગળ મૂકી: સમાધાન થાય એવું હું જોતો નથી. જો મારે મારો ઠરાવ રજૂ કરવો જ પડે તો છેવટે મત લેવાશે જ. પણ અહીં મત લઈ શકાય એવી વ્યવસ્થા હું જોતો નથી. આજ લગી આપણે ભરી સભામાં હાથો ઊંચા કરાવ્યા છે. પ્રેક્ષકો અને સભ્યોની વચ્ચે હાથ ઊંચા થતી વેળા ભેદ નથી રહેતો. મતો ગણવાની ગોઠવણ આવી વિશાળ સભામાં આપણી પાસે નથી હોતી. એટલે મારે મરા ઠરાવને સારુ મત લેવરાવવા હોય તોયે સગવડ નથી.'

લાલા હરકિસનલાલે એ સગવડ સંતોષકારક રીતે કરી આપવાનું બીડું ઝડપ્યું. તેમણે કહ્યું : 'પ્રેક્ષકોને મત લેવાને દહાડે નહીં આવવા દઈએ, તે દિવસે માત્ર સભ્યો જ આવશે. અને તેમામ્ મતો ગણાવી દેવાનું મારું કામ. પણ તમારાથી મહાસભાની બેઠકમાં ગેરહાજર ન જ રહેવાય.'

છેવટે હું હાર્યો. મેં મારો ઠરાવ ઘડ્યો. બહુ સંકોચની સાથે તે રજૂ કર્વાનું મેં કબૂલ કર્યું. મિ. ઝીણા અને માલવીયજી ટેકો આપવાન હતા. ભાસણો થયાં. હું જોઈ શકતો હતો કે, જો કે અમારા મતભેદોમાં ક્યાંયે કડવાશ નહોતી, ભાષાણોમાં પણ કેવળ દલીલો સિવાય કંઈ જ નહોતું, છતાં સભા મતભેદ માત્ર સહન નહોતી કરી શકતી, ને આગેવાનોના મતભેદથી તેને દુઃખ થતું હતું. સભાને તો એકમત જોઈતો હતો.

ભાષણો ચાલતાં હતાં ત્યારે માંચડા ઉપર ભેદ બુઝાવવાન પ્રયત્નો ચાલી રહ્યાં હતા. ચિઠ્ઠીઓ એકબીજાની વચ્ચે પસાર થઈ રહી હતી. માલવીયજી તો ગમે તેમ્ કરીને સાંધવાની મહેનત કરી રહ્યાં હતાં. એટલામાં જયરામદાસે મારા હાથમાં પોતની સૂચના મૂકીને અતિ મધુર શબ્દોમાં મતો આપવાના સંકટમાંથી સભ્યોને ઉગારી લેવા મને વીનવ્યો અહ્તો. મને તે સૂચના ગમી. માલવીયજીની નજર તો ચોમેર આશાને સારુ ફરી જ રહી હતી. મેં કહ્યું: 'આ સૂચના બન્નેને ગમે એવી લાગે છે.' લોકમાન્યને મેં તે બતાવી. તેમણે કહ્યું: 'દાસને પસંદ પડે તો મારો વાંધો નથી.; દેશબંધૂ પીગળ્યા. તેમણે બિપિનચંદ્ર પાલ સામું જોયું. માલવીયજીને પૂરી આશા બંધાઈ. તેમણે ચિઠ્ઠી ઝૂંટવી લીધી. હજુ 'હા' ના પૂરા શબ્દો દેશબંધૂના મોં માંથી નથી નીકળ્યા તેવામાં તેઓ બોલી ઊઠ્યા : 'સજ્જનો, તમે જાણીને રાજી થશો કે સમાધાની થઈ ગઈ છે' પછી શું જોઈએ? તાળીઓના અવાજથી મંડપ ગાજી ઊઠ્યો, અને લોકોના ચહેરા ઉપર ગંભીરતા હતી તેને બદલે ખુશાલી ચમકી ઊઠી.

એ ઠરાવ શું હતો એમાં ઊતરવાની અહીં જરૂર નથી. એઠરાવ કેમ થયો એટલું જ એને અંગે બતાવવું આ પ્રયોગોનો વિષય છે. સ્માધાનીએ મારી જવાબદારી વધારી.