ઓ જશોદાજી !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઓ જશોદાજી !
દયારામ
(ઢાળ : પ્રેમની પીડા તે કોને કહિયે રે ? હો મધુકર ! પ્રેમની પીડા તે કોને કહિયે રે ?)


<poem> ઓ જશોદાજી ! એવડો લાડકવાયો લાલ ન કીજીયે. રે ! ક્ય્હાં સુધી સુતનાં ચોરચરિત્ર જોઇને રીઝિયે ?

વ્હાલે કૌતુક કીધું મંદિરમાં; એક માખણપિંડ લીધો કરમાં;

:: એણે માંકડલાં ઘાલ્યાં ઘરમાં.  ઓ જશોદાજી !


વ્હાલો સંતાડ્યાં શોધી (ક હા)ડે; હોય ઉંચાં પણ હેઠાં પાડે;

એ તો ખાય ખવરાવે વણસાડે. ઓ જશોદાજી !


વ્હાલો સૂતાં બાળક્નાં અંગ મોડે; મ્હારાં બાંધ્યાં વાછરૂં છોડી મેલે;

દહીં દૂધ તની રંજાડ કરે. ઓ જશોદાજી !


દયાના પ્રીતમ સ્વામી રસિયા; ખાન ગોરસ પર આવે ધસિયા;

ધન્ય ભાગ્ય અમારૂં વ્રજમાં વસિયાં. ઓ જશોદાજી !