કંકાવટી/મંડળ ૨/૧૧. નિર્જળ માસ
< કંકાવટી
Jump to navigation
Jump to search
← ૧૦. કોયલ વ્રત | કંકાવટી ૧૧. નિર્જળ માસ ઝવેરચંદ મેઘાણી |
૧૨. ફૂલ-કાજળી વ્રત → |
જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.
- નિર્જળું વ્રત એટલે ?
- એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે -
- દાતણ પાણી મોકળા,
- તો જ બાથી દાતણ કરાય પછી કોઈ કહે કે -
- નાવણ પાણી મોકળાં,
- તો જ બા નાહી શકે. કોઈ કહે કે -
- અન્ન પાણી મોકળાં
- તો જ બાથી જમી શકાય.