કાનુડો કાળજાની કોર છે

વિકિસ્રોતમાંથી
કાનુડો કાળજાની કોર છે
મીરાંબાઈ



કાનુડો કાળજાની કોર છે

કાનુડો કાળજાની કોર છે.
મોરમુકુટ પીતાંબર સોહે, કુંડલકી ઝકઝોર છે.
વૃન્દાવનની કુંજગલનમાં, નાચત નંદકિશોર છે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરનકમલ ચિતચોર છે.