કાળજ કોર્યું તે કોને કહીએ

વિકિસ્રોતમાંથી
કાળજ કોર્યું તે કોને કહીએ
દયારામ



ગરબી ૧૧ મી.

કાળજડું કોર્યું તે કોને કહીયેરે, ઓધવ છેલ છબીલડે. ટેક
વેરી હોયે તો વઢતારેં ફાવિયે, પણ પ્રાણથી પ્યારો એને લહીયેરે! ઓધવ.
ધીકિયે ઢાંક્યા તે કહે નવ શોભિયે, ડાહ્યાં શું વાહ્યાં ન્હાને છઇયે રે! ઓધવ.

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે, કિયા રાજાને રાવે જઈયેરે. ઓધવ.
કળ ન પડે કાંઇ પેર ન સૂઝે, રાત દિવસ ઘેલાં રહિયેરે. ઓધવ.
કાંઇ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોહોટે, અલબેલો આવી બેઠો હઇયેરે. ઓધવ.
દયાના પ્રીતમજીને એટલું કહેજો, ક્યાં સુધી આવાં દુખ સહિયેરે. ઓધવ.


અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?

વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!

ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ, ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!

કળ ન પડે કાંઈ પેર ન સૂઝે! રાત દિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!

કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે! અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!

દયાના પ્રીતમજી ને એટલું કહેજો: ક્યાં સુધી આવાં દુખ સહીએ રે! ઓધવ!