કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો શિવપ્રસાદ દલપતરામ પંડિત
७४–शिशु उपचाला
એ સાધ્વી ઉપચાલાની નાની બહેન હતી અને એમની માફકજ સાધ્વી થઈ હતી. એને પણ માર લલચાવવા સારૂ આવ્યો હતો; પરંતુ મારને ધર્મનો ઉપદેશ આપીને એણે વિદાય કર્યો હતો.
થેરીગાથામાં ૧૯૬ થી ૨૦૩ સુધીના શ્લોક એના રચેલા છે.