ગાંધીજીનો અક્ષર દેહ - ૧/દાદાભાઈ નવરોજીને પત્ર-૫

વિકિસ્રોતમાંથી
← ઝૂલુલૅન્ડ માટેના સેક્રેટરીને પત્ર ગાંધીજીનો અક્ષરદેહ
દાદાભાઈ નવરોજીને પત્ર-૫
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
વેડરબર્નને પત્ર →


૭૪. દાદાભાઈ નવરોજીને પત્ર

મો. ક. ગાંધી
પો. ઑ. બૉક્સ ૬૬,

એડવોકેટ
સેન્ટ્રલ વેસ્ટ સ્ટ્રીટ,

એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન
ડરબન, નાતાલ,

અને
માર્ચ ૭, ૧૮૯૬

ધી લંડન વેજિટેરિયન સોસાયટીના એજન્ટ

માનનીય શ્રી દાદાભાઈ નવરોજી

નેશનલ લિબરલ કલબ

લંડન

સાહેબ,

આ સાથે હું એક કતરણ મોકલું છું જેમાં આવતા અધિવેશનમાં મંત્રીમંડળ જે મતાધિકાર વિધેયક રજૂ કરવા માગે છે તે આપેલું છે. તેમ જ બ્રિટિશ કમિટીના[૧] પ્રમુખને લખેલા મારા પત્રની એક પ્રેસ નકલ પણ સાથે મેં મોકલી છે.


૧. જુઓ પા. ૨૩૪.


  1. ૧. જુઓ પા. ૨૩૪.

ઝૂલુલૅન્ડના ગવર્નરે નાંદવેની બાબતની અરજદારોની વિનંતી મંજૂર કરવાની ના પાડી છે. હું હમણાં એ વિષય ઉપર બ્રિટિશ સરકાર માટે એક વિનંતીપત્ર[૧] તૈયાર કરી રહ્યો છું.

સૈનિકોના સ્મારક વિષેના આપના પત્ર બદલ હું આપનો આભાર માનું છું.

આપનો આજ્ઞાંકિત સેવક,

મો. ક. ગાંધી

[ મૂળ અંગ્રેજી ]

ગાંધીજીના હસ્તાક્ષરવાળી મૂળ પ્રતની છબી પરથી


  1. ૧. જુએા પા. ૨૩૫.