નાથ તુમ જાનત હો સબ ઘટકી

વિકિસ્રોતમાંથી
નાથ તુમ જાનત હો સબ ઘટકી
મીરાંબાઈ


પદ ૧૪ રાગ કાફી.

નાથ તુમ જાનત હો સબ ઘટકી, મીરાં ભક્તિ કરે પરગટકી. — ટેક

રામમંદિર મેં મીરાંબાઈ નાચે, તાલ વગાડે ચપટી,
પાંવ મેં ઘૂઘરા રૂમઝૂમ બાજે, લાજ શરમ સબ પટકી.— નાથ તુમ. ૧.

નાહીઘોઈને મીરાં માળા ફેરે, સેવા કરે રઘુવરકી,
શાલિગ્રામ કો ચંદન ચડાવૈ, ભાલ તિલક બીચ ટપકી.— નાથ તુમ. ૨.

વિષ કા પ્યાલા રાણાજીને ભેજા સાધુ સંગત મીરાં અટકી,
કર ચરણામૃત પી ગઈ મીરાં, જૈસે રામરસ કી કટકી.— નાથ તુમ. ૩.

કે સુરતી દોર લગી એક ધારા, જૈસે ઘડા પર મટકી,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, સૂરતી લગી જૈસી નટકી— નાથ તુમ. ૪.



અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

નાથ તુમ જાનત હો સબ ઘટકી,
મીરાં ભક્તિ કરે પરગટ (પ્રગટ)કી.

રામમંદિર મેં મીરાંબાઈ નાચે, તાલ વગાડે ચપટી,
પાંવ મેં ઘૂઘરા રૂમઝૂમ બાજે, લાજ શરમ સબ પટકી ... નાથ તુમ.

નાહીઘોઈને મીરાં માળા ફેરે, સેવા કરે રઘુવરકી,
શાલિગ્રામ કો ચંદન ચડાવૈ, ભાલ તિલક બીચ ટપકી ... નાથ તુમ.

વિષ કા પ્યાલા રાણાજીને ભેજા સાધુ સંગત મીરાં અટકી,
કર ચરણામૃત પી ગઈ મીરાં, જૈસે રામરસ કી કટકી ... નાથ તુમ.

કે સુરતી દોર લગી એક ધારા, જૈસે ઘડા પર મટકી,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, સૂરતી લગી જૈસી નટકી ... નાથ તુમ.