નિત્ય મનન/૧૯-૧૦-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૧૮-૧૦-’૪૪ નિત્ય મનન
૧૯-૧૦-’૪૪
ગાંધીજી
૨૦-૧૦-’૪૪ →


ऐसा सोचो कि ग़रीब आदमी तुम्हारो हालतमें क्या कर सकता है। उसकी पत्नी मर जाय तो वह दुगुना काम करेगा। वह भी ईश्वरका भक्त है । भीतरका आनन्द ईश्वरका काम करनेसे ही पैदा होता है । हम सब अपनेको ग़रीबकी हालतमें रख दें । बहरेपनको ईश्वरकी बख्शिश समझो । एक क्षण भी बग़ैर कामके रहना ईश्वरकी चोरी समझो । मैं दूसरा कोई रास्ता भीतरी या बाहरी आनन्दका नहीं जानता हूँ ।

सबसे अच्छा तरीका तुम्हारे लिए २० ता० मनानेका तो यह है कि तुम सारा दिन सूत कातते रहो, या अपनी रुचिके अनुसार आश्रमके कोई भी काममें लगे रहो, और उसके साथ रामनामको जोड़ दो ।

( ग़रीबोंको खिलाना) बिलकुल गै़रज़रूरी है । जिन्हें सचमुच ज़रूरत हो, उन्हें तुम भले ही कुछ दे सकते हो ।

१९-१०-’४४
 

ગરીબ માણસ તારા જેવી દશામાં શું કરે તેનો વિચાર કર. તેની પત્ની મરી જાય તો તે બમણું કામ કરવા માંડશે. તે પણ ઈશ્વરનો જ ભક્ત છે. ઈશ્વરનું કામ કરવાથી જ અંતરનો આનંદ પેદા થાય છે. તેથી, આપણે આપણી જાતને ગરીબની દશામાં મૂકી દઈએ. તારા બહેરાપણાને ઈશ્વરની બક્ષિસ માન. એક ક્ષણ પણ ઈશ્વરનું કામ કર્યા વગર રહેવું એ તેની ચોરી છે એમ સમજ. અંદરનો કે બહારનો આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો હું જાણતો નથી.

આખો દિવસ કાંતવામાં અથવા તને ગમતા આશ્રમના કોઈ પણ મજૂરીના કામમાં ગાળવો અને સાથે રામનામનું રટણ કરવું એ તારે માટે એ દિવસ (૨૦મી) પાળવાનો સૌથી સારો રસ્તો છે.

(ગરીબોને ખવડાવવું) તદ્દન બિનજરૂરી છે. જેને ખરેખરી જરૂર હોય તેવાને જોઈએ તો ભલે કંઈક આપ.

૧૯-૧૦-’૪૪