પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ચાપાનિયામાં એમ કહેવામાં આવ્યું છે કે રેલવે અને ટ્રામગાડીના કર્મચારીઓ હિંદીઓને પશુ ગણીને વર્તે છે. એ વાતનો એજન્ટ જનરલે વિરોધ કર્યો છે. મારી વાત ખોટી હોય તોપણ એથી જે કાનૂની નિયંત્રણો, જેમને વિષે અમે વિનંતીપત્રો મોકલ્યાં છે, અને જે દૂર કરવા માટે અમે ઇંગ્લંડની અને હિંદની સરકારોને સીધી દરમ્યાનગીરી કરવા વિનંતી કરીએ છીએ, તે છે જ નહીં એવું સાબિત નથી થતું. પણ હું તો હિંમતપૂર્વક કહું છું કે એજન્ટ જનરલને ખોટી માહિતી આપવામાં આવી છે, અને હું ફરીથી કહું છું કે રેલવે તથા ટ્રામગાડીના કર્મચારીઓ હિંદીઓને પશુવત્ ગણીને વર્તે જ છે. આ વાત તો આજથી લગભગ બે વર્ષ પૂર્વે કહેવામાં આવી હતી, અને તે અવે સ્થળે કે જ્યાં એનો તરત રદિયો આપી શકાયો હોત. નાતાલની ધારાસભાના સભ્યોને મેં એક ‘ખુલ્લો પત્ર’ લખ્યો હતો. એ પત્રને સંસ્થાનમાં ખૂબ બહોળી પ્રસિઘ્ધિ મળી હતી ને દક્ષિણ આફ્રિકાના લગભગ દરેક આગળપડતા વર્તમાનપત્રે એની નોંધ લીધી હતી. તે વખતે આ વાતનો કોઈએ વિરોધ કર્યો નહોતો. કેટલાંક વર્તમાનપત્રોએ તો એનો સ્વીકાર પણ કર્યો હતો. આ પરિસ્થિતિમાં મેં અહીં પ્રસિદ્ધ થયેલા મારા ચાપાનિયામાં એ પત્ર સામેલ કર્યો. અતિશયોક્તિ કરવાનો મારો સ્વભાવ નથી, ને મારી પોતાની તરફેણમાં મારે પુરાવો ટાંકવો પડે એ મને જરાય પસંદ નથી; પણ મારા કથનને અને તેની મારફતે હું જે કાર્યની હિમાયત કરું છું તેને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેથી તે કાર્યને ખાતર, જે ‘ખુલ્લા પત્ર’માં મારું એ કથન પ્રસિદ્ધ થયું હતું તે બાબતમાં દક્ષિણ આફ્રિકાનાં અખબારોનો અભિપ્રાય તમને જણાવવાની મને મારી ફરજ લાગે છે. જોહાનિસબર્ગનું મુખ્ય વર્તમાનપત્ર સ્ટાર કહે છે: મિ. ગાંધી અસરકારક રીતે, સૌમ્યતાથી અને સારી રીતે લખે છે. સંસ્થાનમાં આવ્યા પછી તેમણે પોતે થોડો અન્યાય વેઠો છે, પણ તેમની ભાવનાને એ હકીકતનો કશો રંગ લાગ્યો હોય એમ જણાતું નથી, અને એટલું કબૂલ કરવું જોઈએ કે આ ‘ખુલ્લા પત્ર’ના વિન સામે વાજબી રીતે કશો વાંધો લઈ શકાય તેમ નથી. પોતે ઉઠાવેલા પ્રશ્નો શ્રી ગાંધી દેખીતી નરમાશ સાથે ચર્ચે છે. ૨૫ નાતાલમાં સરકારનું મુખપત્ર નાતા મર્ક્યુરી કહે છે: મિ. ગાંધીએ શાંતિ અને સૌમ્યતાપૂર્વક લખ્યું છે. તેમની પાસે જેટલા નિષ્પક્ષપાતી વલણની આશા રાખી શકાય તેટલું તેઓ જાળવે જ છે, અને તેઓ પહેલી વાર સંસ્થાનમાં આવ્યા ત્યારે લૉ સોસાયટી એમની સાથે બહુ ન્યાયી રીતે વર્તી નહોતી તેનો વિચાર કરીએ તો આશા રાખી શકાય તેથીયે વધારે નિષ્પક્ષપાતીપણું એમણે દાખવ્યું છે. જો મેં કોઈ આધાર વગરની ખોટી વાતો કરી હોત તો વર્તમાનપત્રોએ એ ‘ખુલ્લા પત્ર’ને આવું પ્રમાણપત્ર આપ્યું ન હોત. આશરે બે વર્ષ પહેલાં એક હિંદીએ નાતાલ રેલવેની બીજા વર્ગની ટિકિટ કઢાવી. એક જ રાતની મુસાફરીમાં એને ત્રણ વખત હેરાન કરવામાં આવ્યો, અને યુરોપિયન મુસાફરોને ખુશ કરવા ખાતર તેને બે વાર ડબો બદલવાની ફરજ પાડવામાં આવી. એનો કેસ કોર્ટ સમક્ષ ગયો ને હિંદીને દસ પાઉંડ નુકસાની મળી. એ કેસમાં વાદીએ આપેલી જુબાની નીચે મુજબ છે : ૧. અત્રે ઉલ્લેખ લીલા ચેાપાનિયાની પ્રથમ આવૃત્તિને છે. ૨. સુપ્રિમ કોર્ટમાં એંડવેાર્કેટ તરીકેની ગાંધીજીની નિમણુક વખતે નાતાલની લૅ। સાસાયટીએ એને વિરોધ કર્યા હતા.