પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તે વરસે મહાત્મા ગાંધીએ સવિનય કાનને ભંગની લડત સંકેલી લીધી. લડત ચાલુ હોય ત્યારે કાર્યકરે જેલ ભરી દેતા. અત્યારે જે કાર્યકરો બહાર હતા. તેમણે ઘણુબધાં રચનાત્મક કાર્યો કરવાનાં. હતાં. આત્માની શુદ્ધિ માટે મહાત્મા ગાંધીએ એકવીસ દિવસના ઉપવાસ કર્યા હતા. આ દિવસો દર મિયાન બહાર પડેલા “હરિજનના અંકે વાંચતાં રાજારામન અને તેના મિત્રોની આંખ ભીની થઈ જતી. મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આશ્રમ વિખેરી નાખે અને રાજકારણમાંથી હડી જવાની જાહેરાત કરી ત્યારે વ્યથિત થયેલા કાર્યકરે ગામડામાં જઈ પ્રાદ્યોગ અને ગૃહદ્યોગના કામે લાગી ગયા. આથી લોકોને વિશ્વાસ ફરી સ્થાપિત થયો. કેટલાક મહિના. પહેલાં પ્રહદીશ્વરન સાથે રાજારામન મુંબઈ કોંગ્રેસના અધિવેશનમાં જઈ આવ્યા હતા. મહાત્મા ગાંધીની મને વેદના, કાનૂનભંગની લડત મુલતવી રાખવાથી લેકામાં હલ્લાહ વ્યા હતા. પરંતુ આ સમયમાં પણ મધ્યસ્થ એસેમ્બલીની ચૂંટણીમાં કેંગ્રેસે પ્રચંડ બહુમતી મેળવી વિજય હાંસલ કર્યો એના પરિણામે લે માં નવી ચેતના પ્રગટી. મદ્રાસ પ્રાંતની ચૂંટણુમાં ગવર્નર વિલિંટનના ખુશામતિયાએ કોંગ્રેસી ઉમેદવારોની સામે હારી ગયા. આથી કાર્યકરને મોભે, માન વધ્યાં. ચૂંટણીના કાર્યથી અને તેમાં મળેલ. અદ્વિતીય વિજયથી કાર્યકરોમાં નવું ચેતન પ્રગટયું. આવી પરિસ્થિતિમાં મહાત્મા ગાંધીને તમિળનાડુને.' પ્રવાસ અત્યંત અગત્યને બની ગયો. ૧૦.