પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિવસે કુદરતલીલા પીતાં, ઢોર જિહાં વિખરે ચરતાં, બાલક મ્હારાં.
વેદ નીતિ ને કલા પુરાણો ધર્મ ફિલસુફી વિશે તિહાં,
તર્કઘોડલા દોડી રહેશે, અવતરશે ઉપનિષદ જહાં. બાલક મ્હારાં.
ઋષિ દષ્ટાઓ યુગસ્ત્રષ્ટાઓ, પૌરુષ જય, આત્મા સ્વાયત્ત :
પ્રકટ થશે એ વનવાસે સાત્વિક બરકત ને શીલ સમસ્ત. બાલક મ્હારાં.