પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(અનુષ્ટુભ્)
પામે કો ભૂપ મૃત્યુ તો ચિતા ચંદનની બને
તે વિના કોઈ રીતે આ માલ મોંઘો નહિ ખપે
કહે છે એમ સૌ લોકો, ઈચ્છું હું ઉરમાં નહિ
આપશું ઐક્ય પામ્યાથી હા મારાથી બોલાઈ ગયું કંઈ

ક્ષમા એ દોષની માંગુ, વાત આ દાટજો અહીં
ધ્રુજતો વૈશ્ય ભીતિથી, કાલાવાલા કરે કંઈ
વાણીના દોષને વા'લા, ન આણે કોઈ અંતરે
દીલાસો એમ આપીને, ગયો મંત્રી પછી ઘરે

(વસંતતિલકા)
કોપે ચડ્યો તરણિ માધવમાસ માંહે
અગ્નિભર્યાં કિરણો ઉગ્ર અનેક ફેંકે
પૃથ્વી અને પવન પૂર્ણ તપી ગયાં છે
સ્પર્ધા કરે શું સહુને સળગાવવાને

પ્રાસાદમાં નૃપતિ આપ્તસમૂહ સંગે
બેઠો હતો કરી વિલેપન શીત અંગે
પાસે હતો સકળ ગણ સહાયકારી
બેઠો પ્રધાન કંઈ વાત રહ્યો વિચારી

(દ્રુતવિલમ્બિત)
ઉશીરના પડદા લટકી રહ્યાં
અનુચરો જળ તે પર છાંટતા
કુસુમ, ચંદન ને વ્યંજનાદિકે
નૃપતિ સેવન શૈત્ય તણું કરે

(વસંતતિલકા)
દેખી પ્રસંગ થઈ સ્વસ્થ પ્રધાન બોલ્યો