પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫


પણ તેમાંની એકે આ લડતની માફક સ્વચ્છ સાધનોથી, ધનના નહિ પણ કેવળ સંકલ્પના બળે, અને સંપૂર્ણ મીઠાશથી ચાલી નથી; કોઇ પણ લડતનું પરિણામ આ લડતના પરિણામ જેટલું બન્ને પક્ષને હિતકર અને ઉન્નતિકર આવ્યું નથી; અને આ લડતથી ભવિષ્યમાં કાંઇ પણ સધર્ષણ ઉત્પન્ન થવાનો અથવા તેથી કાંઇ પણ ગંભીર પરિણામ ઉત્પન્ન થવાને એટલો બધો આ સંભવ રહ્યો છે કે તેની આજે કલ્પના કરવી મુશ્કેલ છે.