પૃષ્ઠ:Anashakti Yog.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તું જાણે કે કર્મ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે, પ્રકૃતિ અક્ષરબ્રહ્મ થકી, અને તેથી સર્વવ્યાપક બ્રહ્મ હમેશાં યજ્ઞને વિશે રહેલ છે. ૧૫.

આમ પ્રવર્તેલા ચક્રને જે નથી અનુસરતો તે મનુષ્ય પોતાનું જીવન પાપી બનાવે છે, ઈન્દ્રિય-સુખમાં મચ્યો રહે છે, અને હે પાર્થ! તે વ્યર્થ જીવે છે. ૧૬.

પણ જે મનુષ્ય આત્મામાં રમનારો છે, જે તેથી જ તૃપ્ત રહે છે અને તેમાં જ સંતોષ માને છે તેને કંઈ કરવાપણું હોતું નથી. ૧૭.

કરવા ન કરવામાં તેનો કંઈ જ સ્વાર્થ નથી. ભૂતમાત્રને વિશે તેને કશો અંગત સ્વાર્થ નથી. ૧૮.

એટલે તું તો સંગરહિત થઈને નિરંતર કર્તવ્ય-કર્મ કર. અસંગ રહીને જ કર્મ કરનારો પુરુષ મોક્ષ પામે છે. ૧૯.

જનક જેવા અનેક લોકો કર્મ થકી જ પરમસિદ્ધિને પામી ગયા છે.

૧૦

લોકસંગ્રહ જોતાં પણ તારે કર્મ કરવું ઘટે છે. ૨૦.

૩૩