પૃષ્ઠ:Angadvishti.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સામલકે સ્વામી સાથ, રાવન તું રુઠા રહે;
અંગદ કહે અંધ તુહી, બોત માર ખાયેગો. ૨૦૬

'ઝૂલણા છંદ
રા-દેવ દાનવ સહુ જિતિયા જગતપત, આણ ત્રણ લોક અહંકાર મારો;
સૂર્ય ને ચંદ્રમાં ઇંદ્ર તે જિતિયા, શેષથી આદ્ય સંસાર સારો;
પશુ પંખી માન્વએએ દેવ ને દાનવી, ચેતરે ચિત્ત ચિંતવ્યો ચારો;
રાવણ કહે અંગદા એક છે જિતવો, ભૂપતિ નરપતિ રામ તારો.
અં-રામ અજિત એ કોણે નથી જિતિયો, વેદ વચન થકી થીર થાપી;
તમે કહ્યા જેટલા તેટલા કિંકરા, અલખત ભોગવે એની આપી;
ભક્તવત્સલ એહ નાથ અનાથનો, નાંખે કોટિક કલિ કષ્ટ કાપી;
સામળતણાં સ્વામીને સાધુજન ઓળખે, પ્રીછે નહીં રાવણો દુષ્ટ પાપી.
રા-હડહડ્યો દશાનન દશ વદનથકી, તારા તનનું તોલ તોલ્યું
તાતના વેરથી તન વધાર્યું તુંએ, ગુણપણું તારું ઘેર ઘોલ્યું;
માંકડ તણો મહિપતિ કહે તું તે નરપતિ, નોગ લીધો જેણે રાજ રોળ્યું;
બાળબુદ્ધિ ડહાપણ અલ્યા તાહરું, તાત વાળીતણું નામ બોળ્યું.
અં-લંક બાધી બળી તોય સમજ્યો નહિ, અશોક વાડીતણો શોક કીધો;
આળપંપાળ કર્યા નીર અર્ણવતણાં, પ્રૌઢ પયોનિધિ પાજ પીધો;
કુંવર તુજ રત્નશ્યો રણમાં રોળિયો, સીત આણ્યાથી શો લાભ લીધો;
જો વિભિષણ મળ્યો ભ્રાત રઘુનાથને, દેશ લંકાતણો નાથ કીધો.
રા-કહે એક પુત્રથી આંહિ ઓછું કશું, જેમ પટ આગળે એક ધાગો;
સમૃદ્ધ ઘણી ભાઇની ભોમ લીધી અમો, એક એકાકીએ ભૂર ભાગ્યો.
રત્નચિંતામણી ખાણ કંઈ કોટિધા, નાગા નર જેવાને એક વાગો
સિંધુમાં બિંદુ મુંડામાંય મુઠડી, "એક ખજુરાતણો ચરણ ભાંગ્યો!"
અં-દુષ્ટ દુર્જનને સજ્જન તે કશ્યો, ભ્રષ્ટ પાપિષ્ટ આચાર કહાવ્યો;
જાર જન જુવતીને જનેતા કહે જ્યાં, જાર તે શું કરે ચિત્ત ચહાયો!
અધર્મી અકર્મી ધર્મ ધારે નહિ, પાપની બુદ્ધિનો પાય પાયો;
નફટ પૂઠે વૃક્ષ બાવળ ઉગીઓ, "તો કહે મારે ઠીક છાયો"
રા-બાપનું નામ બોલ્યું બુદ્ધિહીણ તેં, સેવક થઇ શત્રુને રહે છે શરણે;
પેટને કાજ પ્રપંચ એ શ્યો કરે, વખાણ કરે વેરીનાં વિવિધ વરણે;
લાજ રે લાજ કંઇ માલ હોય મૂળમાં, તાત હણનારનાં ચાંપે ચરણ;
અંગદ તુજ સમો અખિલ અવનિ વિષે, કપૂત નથિ સાંભળ્યો કોઇ કરણ!