પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભેટ સોગાદ મોકલ્યા કરતું. જાપાન એ ભેટનો અંગીકાર કરી મિત્રતાને દાવે એ સંસ્થાનને મદદ પણ કરતું.

જાપાનને કોરીઆએ શી શી સંસ્કૃતિ દીધી ?

૪૦૫ ની સાલમાં વાની નામનો એક શિક્ષક કોરીયાએ જાપાનને સમર્પ્યો. વાનીના આગમન પહેલાં જાપાનને લખવા લીપી નહોતી ચોપડા નહોતા. શિક્ષણ શરૂ થયું, ને ચીનાઈ સંસ્કૃતિની આખી પ્રણાલી જાપાનમાં ઉતરી. આજ જે કળા કૌશલ્યને માટે જાપાન જગવિખ્યાત છે તેની કકા બારાક્ષરી તો એ એક કોરીયાવાસી આચાર્યે ઘુંટાવી.

ત્યાર પછી કોરીયાથી સાધુઓ આવ્યા. બુધ્ધ ભગવાનની પ્રતિમા સાથે લાવ્યા. જોતજોતામાં બૌધ ધર્મ જાપાનનો રાજધર્મ બન્યો. સાધુઓ આખા મુલકમાં ઘૂમી વળ્યા. દયાનો સંદેશ ફેલાવ્યો, જાપાનીઓ પોતાના પુરાણા દેવતાઓને ભૂલ્યા. સાધુ સાધ્વીઓનાં ટોળેટોળાં આવી પહોંચ્યાં. અને તેઓની સાથે કડીયા, કોતરકામ કરનારા, કંસારા, અને બીજા કારીગરો પણ ખેંચાઈ આવ્યા. ઠેર ઠેર બૌધ ધર્મની કીર્તિ મંડાણી, અને દેવાલયો બંધાયાં. નૃત્ય, સંગીત, ખગોળ, ભુગોળ અને જ્યોતિષ વિદ્યા પણ કોરીયાએ જાપાનમાં છૂટે

૧૩