પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
લોકશિક્ષણ
“હું ગુજરાતના ખેડૂતની રગેરગમાં અને હાડેહાડમાં સ્વતંત્રતાની હવા પૂરવા માગું છું.”

બા રડોલીના ખેડૂતોની લડત કેવળ ભગવાનને જ ભરોસે ચાલ્યા કરતી હતી એમ તો કાઈ ન જ માને. સરદારની સફળતાની કૂંચી ખેડૂતોનું તેમનું જ્ઞાન અને તેમના ઉપર અપાર પ્રેમ હતો, તેમજ સરદારની લોકશિક્ષણની નિપુણતા પણ હતી. સરદાર લોકશિક્ષણના પાઠ એક પછી એક ધીમેધીમે ભણાવ્યે જતા હતા, એ વિવેકી વાચકના ધ્યાનબહાર ન હોય. આ લોકશિક્ષણના પાઠનો ક્રમ આ પ્રકરણમાં આપવાનો પ્રયત્ન કરશું. એમાં ઘણી વાતનું પુનરાવર્તન થશે, પણ સરદારની લોકશિક્ષણની કલાના આવી રીતે અલગ પ્રકરણમાં ઉલ્લેખ કરવાના દેખીતા લાભો છે.

૧. ભડક ભાંગી — સરદારનો પ્રથમ પાઠ તો લોકોની ભડક ભાંગવાનો હતો એ સૌ કોઈ જાણે છે. ગુજરાતના અને ખાસ કરીને બારડોલીના લોકો પોચા, ઢીલાં ધોતિયાં પહેરનારા, માલ વિનાના મનાતા આવતા હતા. તેમને શૂરવીર બનાવવાની આ લડત હતી. એટલે પહેલવહેલું કામ સરદારે લોકોની ભડક ભાંગવાનું લીધું. અનેક ભાષણોમાં તેમણે લોકોને સમજાવ્યું કે સરકારનો ભય એ મિથ્યા છે, ભૂતના ભડકાના જેવો ભય છે: “ આ મહેસૂલની લડત લડતાં આપણને માલૂમ પડી જવાનું છે કે આ

૧૭૦