પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 મૂકવામાં આવ્યા. બાકીના અગિયારને બે ગુના ઉપર થઈ છછ મહિનાની સખત કેદની સજા થઈ અને સાપરાધ બળ વાપરવાને માટે એક મહિનાની સાદી કેદની સજા થઈ. આ વીરોનાં નામ તો આપવાં જ જોઈએ : રામભાઈ મોરારજી, કુંવરજી ગલાલભાઈ. ડાહ્યાભાઈ માવજી, ગોંસાઈભાઈ ગોવિંદ, નારણભાઈ ઉકાભાઈ, કાનજીભાઈ મોરારભાઈ, નાથાભાઈ કાળાભાઈ, છીતાભાઈ પ્રેમાભાઈ, જીવણભાઈ દયાળભાઈ, ચુનીલાલ રામજી, અને હીરજી ડુંગરજી ચૌધરી.

આ નાટક જાણે પૂરતું ન હોય તેમ આ ભાઈઓને જેલમાં લઈ જતાં જંગલીપણાની કમાલ કરવામાં આવી. સાદી કેદના પેલા ત્રણ યુવકો સુદ્ધાં સૌને બબ્બેના જોડકામાં દોરડે બાંધ્યા હતા અને હાથમાં બેડી પહેરાવી હતી. આવી રીતે તેમને સરિયામ રસ્તેથી સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા, જાણે તેમને જોઈને લોકોને ભારે ધાક બેસી જશે. પણ કેદીઓ તો હસતા હતા, જે લોકોને તેમની બેડીઓ જોઈને ચીડ ચડતી હતી તેમને કહેતા હતા : ‘અરે એમાં શું ? પહોંચીની ઘડિયાળ કરતાં આ બેડી સારી નહિ ?’ લોકો પણ હસવા લાગ્યા અને તેમની ગાડી ચાલી એટલે ‘વંદે માતરમ’ ના ધ્વનિથી સ્ટેશન ગાજી રહ્યું. થોડા જ દિવસ પછી વાંકાનેરના તલાટીએ આ શાહુકાર ખેડૂતના છોકરાઓને દોરડે બાંધીને જેલમાં લઈ ગયા તે બદલ પેાતાની ૨૫ વર્ષની નોકરીનું રાજીનામું આપ્યું.

આ બધું ‘બારડોલી દિન’ના ત્રણ દિવસ આગમચ બન્યું, અને એણે ‘બારડોલી દિન’ની ઉજવણી વધારે ગંભીર કરી મૂકી.

હસીને દુઃખ ભૂલવાની કળા સરદાર રોજ પત્રિકાઓ દ્વારા અને પોતાના ભાષણમાંના કટુમધુર કટાક્ષો દ્વારા લોકોને શીખવ્યા જ કરતા હતા, એક ઠેકાણે તેમણે એકાદ કલાક ભાષણ કર્યું અને બેઠા એટલે એક માણસે આવીને ફરિયાદ કરી, ‘ફલાણા પટેલે મામલતદાર અને તેના કારકુનને ચા પાઈ.’ ‘અરે, એ શી રીતે બન્યું ?’ સરદારે હસતાં હસતાં પૂછ્યું. વૃદ્ધ પટેલે આગળ આવીને ખુલાસો કર્યો : ‘અમે તો બારણાં બંધ કરી બેઠા

૧૮૪