પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરંભના દિવસો
 

તારવ્યા વિનાનાં કુલ ગણોતના ખરા આંકડા

એકર ગુંઠા રૂા. આ. રૂા. આ.
જરાયત ૬૨―૩૬ ૨૩૯―૫ ૩૯૭―૦
ક્યારી નથી
મિશ્ર ૬૬―૧૫ ૪૦૧―૧૩ ૧૮૦૫―૭
*જરાયત ૪૩―૩૭ ૧૯૫―૧૫
*ક્યારી ૧૯૫―૧૫ ૨૦૫―૧૪

આમ તારવ્યા વિનાના કુલ આંકડાની રકમના કરતાં તારવેલાં ગણોતની રકમ ઓછી હોવી જોઈએ તેને બદલે, અમારા બતાવ્યા પ્રમાણે, તપાસ અમલદારોને સ્વતંત્ર તપાસ ઉપરથી પણ, એ રકમ બહુ વધારે માલૂમ પડી. આમ તપાસમાં ‘પ્રથમગ્રાસે મક્ષિકા’ જોઈને જ અમલદારો ચેત્યા. જોકે બરોબર ચેતવાને માટે અમલદારાને લગભગ પંદર દિવસ લાગ્યા. ન્યાયાધીશે હમેશાં ગુનેગારને નિર્દોષ માની લઈને જ તપાસ કરવી જોઈએ એ ન્યાયનો સિદ્ધાંત છે, અને એ ન્યાયને અનુસરીને બંને અમલદારો શ્રી. જયકર અને મિ. એંડર્સનની કશી ભૂલ થઈ નથી એમ જ માનીને આરંભમાં વર્તતા લાગતા હતા. પણ મિ. બ્રૂમફીલ્ડ એથી આગળ જઈને એમ માનતા જણાયા કે ખેડૂતો તો જૂઠું જ બોલે, ત્યારે અમને આશ્ચર્ય થયું. આરંભને જ એક દિવસે અમારે એમની સાથે સહેજ ચકમક ઝરી હતી. મેં કહ્યું : ‘તપાસ થઈ જ નથી.’ એટલે મિ. બ્રૂમફીલ્ડ કહે : - ‘હા; એમ ખેડૂતો કહે છે. જગતમાં બધે જ ખેડૂતો એવી વાતો કરે છે.’ મેં કહ્યું : ‘તે સાચા છે કે ખોટા એ તપાસવાની તમારી ફરજ છે.’ એટલે એમણે પાછું પૂછ્યું: ‘ત્યારે શું આ ગામે શ્રી. જયકર આવેલા કે નહિ ?’ મેં કહ્યું : ‘હું શું જાણું ? તમે ખેડૂતોને પૂછી જુઓ. પણ ખેડૂતો જૂઠા જ છે એમ માની બેસશો તો ખેડૂતોનું કશું વળવાનું નથી.’

થોડા જ દિવસ પછી જ્યારે મોટી ભટલાવ નામના ગામે મિ. બ્રૂમફીલ્ડ આવ્યા અને લોકોને પૂછ્યું: ‘અહીં જયકર આવ્યા હતા ?’, અને પટેલતલાટી બંનેએ જવાબ આપ્યો: ‘સાહેબ, જયકરનું મોં જ કોણે જોયું છે ?’ ત્યારે તેમની આંખ

૩૦૩