તારવ્યા વિનાનાં કુલ ગણોતના ખરા આંકડા
એકર ગુંઠા | રૂા. આ. | રૂા. આ. | |
જરાયત | ૬૨―૩૬ | ૨૩૯―૫ | ૩૯૭―૦ |
ક્યારી | નથી | ||
મિશ્ર | ૬૬―૧૫ | ૪૦૧―૧૩ | ૧૮૦૫―૭ |
*જરાયત | ૪૩―૩૭ | ૧૯૫―૧૫ | |
*ક્યારી | ૧૯૫―૧૫ | ૨૦૫―૧૪ |
આમ તારવ્યા વિનાના કુલ આંકડાની રકમના કરતાં તારવેલાં ગણોતની રકમ ઓછી હોવી જોઈએ તેને બદલે, અમારા બતાવ્યા પ્રમાણે, તપાસ અમલદારોને સ્વતંત્ર તપાસ ઉપરથી પણ, એ રકમ બહુ વધારે માલૂમ પડી. આમ તપાસમાં ‘પ્રથમગ્રાસે મક્ષિકા’ જોઈને જ અમલદારો ચેત્યા. જોકે બરોબર ચેતવાને માટે અમલદારાને લગભગ પંદર દિવસ લાગ્યા. ન્યાયાધીશે હમેશાં ગુનેગારને નિર્દોષ માની લઈને જ તપાસ કરવી જોઈએ એ ન્યાયનો સિદ્ધાંત છે, અને એ ન્યાયને અનુસરીને બંને અમલદારો શ્રી. જયકર અને મિ. એંડર્સનની કશી ભૂલ થઈ નથી એમ જ માનીને આરંભમાં વર્તતા લાગતા હતા. પણ મિ. બ્રૂમફીલ્ડ એથી આગળ જઈને એમ માનતા જણાયા કે ખેડૂતો તો જૂઠું જ બોલે, ત્યારે અમને આશ્ચર્ય થયું. આરંભને જ એક દિવસે અમારે એમની સાથે સહેજ ચકમક ઝરી હતી. મેં કહ્યું : ‘તપાસ થઈ જ નથી.’ એટલે મિ. બ્રૂમફીલ્ડ કહે : - ‘હા; એમ ખેડૂતો કહે છે. જગતમાં બધે જ ખેડૂતો એવી વાતો કરે છે.’ મેં કહ્યું : ‘તે સાચા છે કે ખોટા એ તપાસવાની તમારી ફરજ છે.’ એટલે એમણે પાછું પૂછ્યું: ‘ત્યારે શું આ ગામે શ્રી. જયકર આવેલા કે નહિ ?’ મેં કહ્યું : ‘હું શું જાણું ? તમે ખેડૂતોને પૂછી જુઓ. પણ ખેડૂતો જૂઠા જ છે એમ માની બેસશો તો ખેડૂતોનું કશું વળવાનું નથી.’
થોડા જ દિવસ પછી જ્યારે મોટી ભટલાવ નામના ગામે મિ. બ્રૂમફીલ્ડ આવ્યા અને લોકોને પૂછ્યું: ‘અહીં જયકર આવ્યા હતા ?’, અને પટેલતલાટી બંનેએ જવાબ આપ્યો: ‘સાહેબ, જયકરનું મોં જ કોણે જોયું છે ?’ ત્યારે તેમની આંખ