પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ જું
તાલુકાની સામાન્ય સ્થિતિ
 


ઢોરોને વિશે એક વસ્તુ સાહેબોએ પોતાની તપાસને કારણે જાણવાજેવી શોધી કાઢી એમ કબૂલ કરવું જોઈએ. શ્રી. જયકરે ૧૯૦૪-૦૫ના આંકડા અને ૧૯૨૪-૨૫ ના આંકડા સરખાવીને આબાદી બતાવી હતી, પણ સાહેબોએ ૧૮૯૪-૯૫ ના આંકડા લીધા, ૧૯૦૪-૦૫ ના આંકડા લીધા અને ૧૯૨૪-૨૫ ના લીધા, અને બતાવ્યું કે ૧૯૦૪-૦૫ ના આંકડામાં જે વધારો થયેલા દેખાય છે તે વધારો નથી, પણ ૧૯૦૪-૦૫ માં તે છપનિયા દુકાળને પરિણામે જે મોટો ઘટાડો થયેલો તે ઘટાડો જ પુરાયો છે, અને ૧૮૯૪-૯૫ માં જે સંખ્યા હતી તે ૧૯૨૪-૨૫ ના જેટલી જ હતી. તે આ પ્રમાણે:

બારડોલી

૧૮૯૪-૯૫ ૧૯૦૪-૦૫ ૧૯૨૪-૨૫
ખેતીનાં ઢોર ૧૮,૩૪૮ ૧૧,૨૩૪, ૧૮,૧૨૭
ગાયો ૮,૮૩૫ ૬,૩૭૦ ૮,૨૮૩
ભેંસો ૮,૯૭૭ ૬,૩૭૦ ૮,૨૮૩
ગાડાં ૫,૯૩૨ ૪,૩૫૨ ૬,૦૫૫

ચોર્યાસી

ખેતીનાં ઢોર ૫,૧૧૪ ૫,૮૨૨
ગાયો ૨,૪૭૮ ૨,૧૦૧
ભેંસો ૩,૩૪૨ ૪,૭૧૯
ગાડાં ૧,૯૪૫ ૨,૩૪૭

આ ઉપરથી એમણે એ અનુમાન કાઢ્યું કે જ્યાં સહેજ-સાજ વધારા થયા તે પણ નજીવા છે અને તે પણ માત્ર ભેંસોમાં જ થોડો વધારો થયો છે. રાનીપરજની સ્થિતિ વિષે લખતાં આજકાલની દારૂનિષેધની પ્રવૃત્તિ સાહેબોને બહુ ખળભળાટવાળી લાગી, પણ બારડોલીમાં ચાલતાં આશ્રમની ખાદીપ્રવૃત્તિ અને તે દ્વારા થતી શુદ્ધિપ્રવૃત્તિ એમને વ્યવસ્થાસર અને સીધે રસ્તે ચાલતી લાગી. આમ એ લોકોમાં સુધારાનાં ચિહ્નો તો દેખાય છે, પણ ‘શ્રી, જયકર કહે છે તેટલો જલદી અથવા તેટલો દેખીતો સુધારો થયો છે’ એ વિષે તો સાહેબોને શંકા છે.

૩૦૯