પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 


કરવાની ધ્યાનમાં લેવાની બાબતોમાંની એક વસ્તુ તરીકે સ્વીકારવા એ પણ કેટલું બધું અસંતોષકારક છે એનાં કારણો આપતાં જણાવે છે :

“આવા ગણોતની આવક ઉપર રહેનારા જમીનવાળાઓનો વર્ગ જાતે ખેતી કરનાર ખેડૂતવર્ગના પ્રમાણમાં ઘણો જ નાનો હોય છે. ૧૯૨૧ની વસ્તીગણતરી જ જુઓને. તરત જ ખાતરી થશે કે ગણોતે જમીન ખેડાવનારા આવા લોકો સામાન્ય ખેડૂતોની કુલ વસ્તીના ૮ ટકાથી પણ ઓછા છે. આ તાલુકાનાં પહાણીપત્રક તપાસતાં તેમાં તેનાં કારણો તપાસવાની મને જિજ્ઞાસા થઈ. આ તપાસ કરતાં મને માલૂમ પડ્યું કે શિરપુર કસ્બાની આસપાસ આવેલાં ગામડાંની ઘણી જ જમીનો શિરપુરના શાહુકારોના હાથમાં ગયેલી છે. મજકૂર જમીન તેઓ જાતે ખેડતા નથી, પણ મૂળ જેમની જમીન હોય છે તેમને જ તે ગણોતે ખેડવા પાછી આપે છે. આ મૂળ ખેડૂતો પોતાની મૂળની જમીન ખેડવા ખાતર પણ પોતાના જ હાથમાં રહે અને બીજા ખેડનારાના હાથમાં ન જાય એ બાબતમાં ભારે આગ્રહી હોય છે. અને એમની એ લાગણીનો લાભ લઈને શાહુકારો દર નવો ગણોતપટો કરતી વેળાએ ગણોતની રકમ વધાર્યે જ જાય છે.”

મિ. સ્માર્ટે પોતે નીચે મુજબ કહ્યું છે :

“રૈયતવારી પ્રાંતમાં બહુ ઓછા ટકા જમીન ગણોતે ખેડાય છે, અને તેટલી ઓછીમાંથી પણ ઓછામાં ઓછી અરધી જમીન ખરી ઊપજને દરે અપાતી નથી. ઘણા ગણોતપટા કહેવાતા વેચનારને જ ખરીદનાર તરફથી કરી આપવામાં આવે છે, અને ગણોત તે ખરું ગણોત નહિ પણ માત્ર ‘વ્યાજ’ હોય છે. આ પ્રમાણે ગણોત એ મહેસૂલ આકારણીનો કાંટો બનાવી શકાય એટલું ચોકસ સાધન નથી.”

શ્રી. મર્ઢેકર પોતાના ઉપર ટાંકેલા જવાબમાં કહે છે :

“ખરાં ગણોત શોધી કાઢવાં સહેલ નથી. રોકડ ગણોત બહુ જ જૂજ લેવાયદેવાય છે, અને ભાગબટાઈનાં ગણોત સહેલાઈથી રોકડમાં બદલી શકાતાં નથી. વળી સર્વે ખાતાએ જમીનોના વર્ગીકરણને આધારે જે નંબરો પાડેલા હોય છે, તે મુજબ ગામેગામનાં તેમજ ખેતરખેતરનાં ગણોતમાં ફેર પડી જાય છે. જમીનની કિંમત આંકવામાં ગણોતના દર ભોમિયાની ગરજ સારે છે ખરા. પણ એને જ મહેસૂલની આંકણીનો એકમાત્ર આધાર બનાવવા એ આ ઇલાકાને માટે સલાહકારક નથી. જમીનની માગ ખૂબ હોય અને વસ્તીની ભીડ હોય ત્યાં ગણોતા મોંમાગ્યાં થઈ જાય છે. માગ નથી હોતી ત્યાં દર નીચા હોય છે. જો ગણોતના દરને મહેસૂલઆકારણીના એકમાત્ર આધાર તરીકે સ્વીકારવામાં આવે તો ખેડૂતો

૩૬૩