પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શેઠ અને ચાકર ૧ ઇ. સ. ૧૮૭૦ મને ૧૮૮૦ વચ્ચેના એક શિયાળાની વાત છે. સત નિકાલસના પર્વ પછીના દિવસ હતા. ગામમાં તહેવારની મોટી ધામધૂમ હતી. ગામની દુકાનના માલિક વાસીલી ઍડ્ડીએવીચ ઊખુનાવ વેપારી મહાજનના સભ્ય અને ધર્માંસધતા એક અગ્રેસર હતા; એટલે તેને આજે દેવળમાં જવું પડેલું, અને પરગામથી આવેલાં સગાંસ્નેહીઓને પેાતાને ઘેર જમાડવાં પડેલાં. પણ એમણે સહુએ વિદાય લીધી ને કાઇ બાકી રહ્યું નહીં એટલે વાસીલીએ પડાશના એક જમીનદારને મળવા પરગામ જવાની તૈયારી કરવા માંડી. એની સાથે ઘણા વખતથી એક નાના જંગલની ખરીદીને અગે વાતચીત ચાલતી હતી. વાસીલીને તરત ઊપડવાની તાવળ હતી. પાસેના કસબામાંથી રખેને કાઇ ખરીદનારા પહેલા આવીને હાથમાં આવેલ કાળિયેા ઝડપી જાય ને લાભ ખાટી જાય, એ વિચારથી તેનું હૈયું ધડકતુ હતુ.. વાસીવીએ જગલના સાત હજાર આપવાના કલા એટલા માટે જ પેલા જુવાન જમીનદાર દસ હજાર માગતા હતા. ભાી સાત હજાર તે જંગલની ખરી કિંમતને માત્ર ત્રીજો ભાગ હતા. વાસીલીને કદાય માંમાગી કિમતે જગલ મળી ગયુ