દીન દયાળુ ગુરુ દેવ
પદ - ૧
દીન દયાળુ ગુરુ દેવ દામોદર, કૃપાનિધિ કૃષ્ણ કહાવે;
કરુણા દૃષ્ટિ કરી જનને જુવે હરિ, દાસના દોષ હરિ હૈયે ન લાવે —દીન૦ ૧
કોટિ અપરાધ તે જનના કાપવા, આપવા આનંદ હરિ હૈયે હીસે;
કૈક કંગાલને તારવા નાથજી, આજ મહારાજની મરજી દીસે—દીન૦ ૨
અખિલ બ્રહ્માંડના અધમ ઉદ્ધારવા, પૂરણ પરબ્રહ્મે પણ લીધું;
પતિત એકે કોયે નરકમાં નવ પળે, આજ અલબેલડે એમ કીધું—દીન૦ ૩
મન કર્મ વચને સત્ય કરી માનજો, અસત્ય મિથ્યા અમે શીદ ભાખ્યું;
નિષ્કુળાનંદ હરિ નિત્ય ઊઠી ચિંતવે, આવે અધમ કોયે શરણ રાખ્યું—દીન૦ ૪
પદ - ૨
ટેવ પડી તમને અધમ ઉદ્ધારવા, એહ વિના બીજું કાંઈ ન સૂઝે;
અખંડ અવતાર તે અધમ ઉદ્ધારવા, એહ મર્મને કોઈ સંત બૂઝે—ટેવ૦ ૧
નરતનુ ધારી એવું ના’વડે નાથજી, કોઈ જીવનું અકાજ કરતા;
ભાવે કભાવે કોઈ તમને ચિંતવે, તેહનાં પાપ તમે તર્ત હરતા—ટેવ૦ ૨
જેમ રવિના ઘરમાં રજની નવ મળે, તો આરાધ્યે અંધારું ક્યાંથી આપે;
જાણે અજાણે જેમ અમૃતપાનથી, જનમ મરણ અંગે નવ વ્યાપે—ટેવ૦ ૩
પોતાના ગુણ તે કોઈ નવ પરહરે, જેહમાં જેહવો ગુણ રહ્યો;
નિષ્કુળાનંદ નર તન ધરી નાથજી, અધમ ઉદ્ધારણ એવો ગુણ ગ્રહ્યો—ટેવ૦ ૪
પદ - ૩