પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે તે ભોગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ.
ગહન વાત છે શિષ્ય આ, કહિ સંક્ષેપે સાવ. ૮૬

કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિં મોક્ષ,
વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭

શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિમાંય,
અશુભ કરે નર્કાદિફળ, કર્મ રહીત ન ક્યાંય. ૮૮

જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ,
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯

વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ,
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦

દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ,
સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. ૯૧

હોય કદાપી મોક્ષપદ, નહિં અવિરોધ ઉપાય,
કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨

અથવા મત દર્શનઘણાં, કહે ઉપાય અનેક,
તેમા મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩

કયી જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ,
એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪

તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય,
જીવાદી જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫

પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ;
સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદભાગ્ય. ૯૬

પાંચે ઉત્તરની થઈ, આત્મા વિશે પ્રતીત,
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતિત એ રીત. ૯૭

કર્મ-ભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ,