પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને (૬)

તરવાર બહાદુર ટેકધારી, પૂર્ણતામાં પેખિયા
હાથી હણે હાથે કરી, એ કેશરીસમ દેખિયા
એવા ભલા ભડવીર તે, અંતે રહેલા દેખિયા
જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને (૭)

-૦-


સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ
તો તે પામે નિજ દશા, જિન છે આત્મ સ્વરૂપ (૧)

પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય
સમજો જિન સ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય (૨)