પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સદગુરુ ભક્તિ રહસ્ય

હે પ્રભુ, હે પ્રભુ ! શુંકહું, દીનાનાથ દયાળ
હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ (૧)

શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ (૨)

નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી
આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં (૩)

જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ
કેવળ અર્પણતા નથી, નથે આશ્રય અનુયોગ (૪)

હું પામર શું કરી શકું ? એવો નથી વિવેક
ચરણ શરણ ધીરજ નથી, અમ્રણ સુધીની છેક (૫)

અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ,
અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ (૬)

અચળરૂપ આસક્તિ નહીં, નહીં વિરહનો તાપ
કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ (૭)

ભક્તિમાર્ગ પ્રવેશ નહીં , નહીં ભજન દ્રઢ ભાન,
સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ દેશે સ્થાન (૮)

કાળ દોષ કળિથી થયો, નહીં મર્યાદા ધર્મ
તો યે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ (૯)

સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ,
દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ (૧૦)

તુજ વિયોગ સ્ફુરતો અન્થી, વચન નયન યમ નાંહીં,
નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહી (૧૧)