પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અહંભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચન નાહીં,
નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ (૧૨)

એમ અનંત પ્રકારથી, સાધન રહિત હું ય,
નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શું ય (૧૩)

કેવળ કરૂણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ (૧૪)

અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન (૧૫)

સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક
પાર નતેથી પામીયો, ઉગ્યો ન અંશ વિવેક (૧૬)

સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય
સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? (૧૭)

પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય
દીઠા નહીં નિજ દોષ તો, તરીએ, કોણ ઉપાય (૧૮)

અધમાધમ આધિકો પતિત, સકળ જગતમાં હું ય
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ય (૧૯)

પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એ જ
સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ (૨૦)