કામકાજમાં બાદશાહ તે વાત વિસરી ગયો અને
ચાર છ મહીના જેટલો દીર્ઘ કાલાવધિ પણ ગુજરી ગયો.
એક દિવસે બાદશાહને તે વાત યાદ આવી જતાં તેણે
બીરબલની સ્મરણશક્તિની પરિક્ષા લેવા ખાતર સવાલ
કર્યો “અરે, બીરબલ ! ઓર ક્યા ? ” બીરબલે તરતજ
જવાબ આપ્યો “હુઝૂર! ઓર ક્યા? કઢી !”
બાદશાહ તેની અજબ તીવ્ર સ્મરણશક્તિથી ઘણોજ આશ્ચર્ય પામ્યો અને તેને એક મોતીની માળા ઈનામ આપી. અન્ય કેટલાક ખુશામતીયા દરબારીએ એમ ધાર્યું કે “બાદશાહને કઢી ઉપર ઘણોજ પ્રેમ છે, અને તેથીજ બીરબલે કઢી નામ લેતાજ બાદશાહે તેને મોતીની માળા ઈનામ આપી. માટે આપણે પણ જો કઢી તૈયાર કરીને બાદશાહ આગળ રજુ કરીશું, તો બાદશાહ એકાદ જાગીર બક્ષીસ આપી દેશે.” બધાએ આ વિચાર કરી બીજે દિવસે ઘણી જ સારી છાશની કઢી બનાવી અને મજુરો પાસે ઉપડાવી લઈ ચાલ્યા. શાહી બાગના દરવાઝેથી મઝૂરોને વિદાય કરી બધા દરબારીયો પોતપોતાને માથે કઢીનું વાસણ ઉપાડી બાદશાહની રૂબરૂ હાઝર થયા. તેમને આવા વિચિત્ર ઢંગથી આવેલા જોઈ બાદશાહે પૂછ્યું “શું છે?” પેલાએ ઝટ દઈને ઉત્તર વાળ્યો “હુઝૂર ! અપને માટે કઢી લઈ આવ્યા છીયે.”
આ જવાબથી બાદશાહ ઘણોજ ક્રોધ ભરાયો, તેણે સિપાહીઓને હુકમ કર્યો કે “જેને માથે કઢીનું પાત્ર હોય તેને બેડીયો પહેરાવી દો. આ લોકો બીરબલની સ્હામે થવા માગે છે. બીરબલે મ્હને કાલે “કઢી” શબ્દ કહી