પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
બીરબલ વિનોદ.

જાવી શકે એ તો આશ્ચર્યની વાત !! જો તારી જગ્યાએ હું હોત તો તરત સમજાવી દેત.”

બીરબલે કર સંપુટ કરી અરજ કરી “નામદાર! રાજા માબાપ તરીકે ગણાય છે અને રૈયત તેના બાળક છે. માટે હું બાળક બનું અને આપ મને સમજાવો અને પછી જુઓ કે બાળહઠ કેવા પ્રકારની હોય છે.”

બાદશાહે તે વાત કબુલ કરી એટલે બીરબલે ન્હાના બાળકની પેઠે ઝમીન પર બેસીને હળવે હળવે રડવા માંડયું. બાદશાહ તખ્ત ઉપરથી હેઠે ઉતરીને તેને સમજાવવા લાગ્યો અને શરિર પર હાથ ફેરવી કહ્યું “બેટા ! તું કેમ રડે છે ?” ત્યારે બાળ બીરબલે વધુ જોરથી રડવા માંડયું. બાદશાહે તેને પોતાના ખેળામાં લઈ મમતાથી પૂછયું “ બેટા ! તું કેમ રડે છે? તને શું જોઈએ? ચાલ જલ્દીથી કહે, હું હમણા જ તને અપાવું.” તોપણ તેણે કાંઈ જવાબ ન આપતાં ઉં ઉં ઉં કરીને રડવાનું ચાલુ રાખ્યું. થોડીવાર સુધી એવી રીતે રડયા પછી તે બોલ્યો “મને શેરડી જોઈયે છે, તે મંગાવી આપ.” બાદશાહે તરતજ શેરડીનો એક ભારો મંગાવ્યો અને તેમાંથી પસંદ પડે તે કાઢી લેવા કહ્યું. બીરબલે તો પાછું રડવાનું શરૂ કરી કહ્યું “તું કાઢી આપ,"

બાદશાહે ભારામાંથી એક સારી શેરડીને કકડો કાઢી આપ્યો તો તે “આ નહી ” કહી ફેંકી દીધી. “આ નહીં, પેલો એમ કરતાં કરતાં છેવટે એક કકડો પસંદ કર્યો, અને તે હાથમાં લઈ પાછું રડવા માંડયું. ત્યારે બાદશાહે પૂછ્યું "બેટા! હવે શામાટે રડે છે? પાછું વળી શું જોઈએ છે?”