પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬


પોષવા એ એનો પ્રભાવ છે. સારા જગત્‌ના પ્રકાશ અને જીવ માત્રનું જીવન એનેજ આધીન છે, એટલે એજ પૂજનીય અને માન્ય છે એના ઉદય તરફ મુખ રાખવું જોઇયે.”

મહાત્મા ર્તુહરીએ બે હઝાર વર્ષ પૂર્વે કહ્યું હતું કે “ आरंभ गुर्वीक्षियिणी क्रमेण लध्वी पुरावृद्धिमतीच पश्चात् । दिनस्य पूर्वार्द्ध परार्द्ध भिन्ना छायेव मैत्री खल सज्जनानाम्॥ ” અર્થાત્ “સજનોની પ્રીતિ પ્રથમ થોડી હોય છે અને પછી દિવસે દિવસે વધતી જ જાય છે અને ખલોની પ્રીતિ પ્રથમ એકી સાથે વધી જઈને પછી દિવસે દિવસે ઓછી થતી જાય છે. ”

આ વાક્યની સિદ્ધી કબર જેવા ચક્રવર્તી બાદશાહે બીરબલ જેવા દીન, હીન અને કંગાલ જોડે પ્રીતિ સાંધી તેને પોતાના જેવો જ રાજા બીરબલ બનાવી દઈ કરી બતાવી. બાદશાહની અસીમ કૃપાને કારણે બીરબલ ઘણોજ અટકચાળો અને બેપરવાહ બની ગયો હતો, તે બાદશાહની પણ કોઈ કોઇવાર દરકાર રાખતો નહીં. ભલી કે ખોટી જેવી મનમાં આવે તે કહી બેસતો, પરંતુ બાદશાહે બીરબલ જ્યારે કંગાલ દશામાં હતો ત્યારે જે વચન આપ્યું હતું કે “તું મારો મિત્ર છે, તને કદિપણ અળગો નહીં કરું” એટલે એ “મિત્ર” શબ્દ કહેવાનો બાદશાહને ઘણો પક્ષપાત હતો, બીરબલની ખરાબ વાત ઉપર પણ ધ્યાન આપતો ન હતો. ખરેખર જેને એકવાર પોતાનો બનાવી લીધો, જેનો હાથ એકવાર ઝાલી લીધો, જેને એકવાર મિત્ર બનાવી લીધો તેને બાદશાહે પોતાના તનમનથી ન ભૂલાવ્યો. લોકો બીરબલ વિરૂદ્ધ અનેક વાતો બાદશાહ આગળ પહોંચાડતા, અનેક આક્ષેપો અને દોષો તેને માથે થોપાતાં; પરંતુ બાદશાહ કદિપણ એવા જુઠાણાંથી ભોળવાયો નથી. તેની પ્રીતિનો અંકુર તેના મનમાં એવાં ઉંડા મૂળ ઘાલી બેઠો હતો કે તેના મૃત્યુ સમાચાર સાંભળતાંજ બાદશાહ ચોધાર અશ્રુએ રડી પડ્યો, ખાનપાનનો ત્યાગ કર્યો અને મરણ પર્યન્ત તેણે “હંસીબો, રમિબો, બોલિઓ, ગયો બીરબર સાથ.” એ ટુંક વારે ઘડીએ બોલવાનો ત્યાગ નજ કર્યા.