પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આવવા જોઇએ. એવો નકી નિર્ણય ઉપર આવીને, તેથી તે પ્રમાણે પુરાવો મળવાથી સુંદરજીને ખાનદાન ઠરાવ્યો.

બીરબલની આવી ઉંડી શક્તિનો અદ્દ્ભુત ચમત્કાર જોઇ તમામ કચેરી દીગમુંઢ બની ગઇ.

સાર - ગુણ અને અવગુણની પરીક્ષા કરી શકવાની શક્તિ ધરાવનારાજ સત્યનો તોલ કરી શકે છે.


-૦-