પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોહાકીદોર બંધ પડાવ્યા. કેટલીક વારતાઓ ઉપરથી શાહની સાથે બીરબલને બીજે પ્રકારે મુલાકાત થઇ હોય તેમ જણાય છે.

બીરબલની ઉંચા પ્રકારની કવીત્વ શક્તી જોઇ રાજાએ કવીરાયનો ખેતાબ આપી પ્રધાન મંડળમાં ઉંચી પદવી પર ચઢાવી રાજા બીરબલના ઇલકાબ અને નગરકોટની મોટી જાગીર આપી બીરબલની ચાતુરી અને તેની મધુરી અને રસીલી વારતાઓથી તેણે રાજાની પ્રીતી સંપાદન કરી હતી, અને તે વારતાઓ ઘેર ઘેર પ્રસરવાથી જગત જનમાં પ્રીય થઈ પડી છે. અને બીરબલના સહવાસથીજ હીંદુ ધર્મ ઉપર શાહની આસ્થા બેસવા પામી હતી.

બીરબલે કેટલીક લડાઇઓમાં વીરતા દરશાવી વેરીઓનો નાશ કરી વીજય ડંકો ગગડાવ્યો હતો. અફઘાનીસ્થાનના રોશનીઆ અને મુસુફગાઇ પઠાણ લોકોની સામે ચઢાઇ લઇ ગયો હતો અને મહા યુદ્ધ કરતાં કરતાં સંવત ૧૬૪૧માં તેનું અકસ્માત મરણ નીપજ્યું હતું અને અકસ્માત મરણની ખબર પડતાં શાહનું રૂદય વીંધાઇ ગયું હતું, એટલું જ નહીં પણ તેની દીલગીરી ઘણો સમય સુધી શાહના મનમાં નીવાસ કરી રહી હતી. એજ તેના મહાન્ ગુણોની ખાત્રી આપનાર દાખલો બસ છે ! ૩૧૪ વરસ થયાં છતાં એ મહાન પુરૂષની રમુજ આપનારી વારતાઓ હજુ સુધી ભરતખંડમાં ફુલની સુગંધી પેરે પ્રસરી રહેલી છે.


-૦-