પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરી લેવો. કોઇ પણ માણસ કોઇ વખતે ભુલથી સાણસામાં સપડાઇ ગયો હોય તો તેને તેમાંથી બચાવી લેવો એજ મહોટા માણેસોનો ધર્મ છે. નાત જાતનો કાંઇ પણ તફાવત રાખવા વગર સઘળાની ઉપર દયા ભાવ રાખનાર માણસજ, જગતના લોકોની પ્રીતી સંપાદન કરી શકે છે.


-૦-