પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો એકત્રીસમી
-૦:૦-
કીર્તિને કાળ ન ખાય
-૦:૦-

એક સમે તમામ દરબાર ભરાઇને બેઠી હતી, એટલામાં એક કવી દરબારમાં દાખલ થઇ આ પ્રમાણે બોલ્યો,

દોહરો
કહા ન અબલા કર શકે, કહા ન સીંધુ સમાય;
કહા ન પાવકમેં જળે, કહા કાળ નવ ખાય.

હવે આનો શો જવાબ આપવો તેના વીચારમાં તમામ દરબાર પડી ગઇ. આ જોઇ બીરબલે જવાબ આપ્યો કે,

સુત નહીં અબલા કર સકે, મન નહીં સીંધુ સમાય,
ધર્મ ન પાવકમેં જલે, કીર્ત કાળ નવ ખાય.

આ દોહરો સાંભળી શાહ દરબારીઓ આનંદ પામ્યા. તે કવી પણ ખુશી થયો. બાદશાહે બંનેને ઇનામ આપ્યા. ઘણો ખુશી થયો.

-૦-