પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વારતા ઓગણીસમી
-૦:૦-
સત્યનો જય
-૦:૦-
કદી ન કરો કોઇ ભુલીને, વણીક તણો વિશ્વાસ.

પોતાની વૃદ્ધાંવસ્તામાં કામ આવે, અને પોતાના છોકરા ન જાણી શકે તેમ એક વણીકે બીજા વણીકને ત્યાં એક હજાર રૂપીયા અનામત મુક્યા હતા. કેટલોક વખત વિત્યા પછી કંઇ કારણને લીધે આ વૃધ્ધ વણીકે તે વણીકની પાસે ઉઘરાણી કરી. પણ તેણે તો ' સાકરના હીરાની પેઠે ગળી જઇને કહ્યું કે કેમ ? સાંઠે બુધ્ધિ નાઠી ? ગામમાં કોઇ ન મળ્યુ તો હુંજ મળ્યો.' આમ બંને જણ લાંબા લાંબા હાથ કરી લડતા લડતા અકબરની કચેરીમાં જઇ બીરબલ જેવા ન્યાયાધીશની આગલ પોતાની ફરીયાદ નોંધાવી. પ્રતિવાદીને પુછતાં જણાવ્યું કે, 'આ બુઢો મને ગળે પડે છે ! રૂપીઆ કેવા ને વાત કેવી ! એ માટે આપે આપની ખાત્રી કરી લેવી હોય તો બોલાવો એના ત્રણે છોકરાઓને, જો તેઓ કહેકે આ વાત સાચી છે તો હું રૂપીઆ આપવાને તૈયાર છું, બીરબલે તરત સીપાઇને મોકલી ત્રણ છોકરાઓને બોલાવી પુછી જોયું તેના ઉત્તરમાં આ ત્રણમાંના એક વડીલ છોકરાએ કહ્યું કે, 'ન્યાયધીશ શાહેબ, હમણા અમારા બાપનું ચિત્ત ઠેકાણે નથી. તેથી તેના બોલવા પર કોઇ જાતનો ઇતબાર રાખશો નહીં, તેની ડાગલી ચશકી જવાને લીધે નાહક. કોઇની આબરૂ ઉપર હુમલો કરે છે, માટે તેમ ફરી ન કરે, અને તેની ચશકી ગયેલી ડાગરી ફરી ઠેકાણે આવે એવી એને શીક્ષા કરવી ઘટે છે ! ફરીયાદીના છોકરાનું આવું બોલવૂં સાંભળી બીરબલે બુઢાને પુછ્યું કે, 'આ વીશે હવે તમે શું કહેવા માગો છો ? બુઢાએ કહ્યું કે, હું દીવાનો નથી કે નથી બુધ્ધિ નાઠી. જે કહું છું તે સત્ય છે. છોકરાઓ પૈસાના સગાજ છે, પણ મારા નથી, છોકરાઓને કાંઇ પણ ન આપવાથી મને તજી દીધો છે. દુનિયા લોભી અને સ્વાર્થ જેટલોજ સંબંધ રાખે છે એ આપ સાહેબની જાણીતી બહાર નહિ હોયે ? મારા ઘડપણમાં કામ આવે એવા હેતુથી આ વણીક વેપારીને છોકરાઓ ન જાણે તેમ મેં એક આંબાના ઝાડ નીચે રૂપીઆ ગણી આપ્યા હતા. ત્યારે હવે આનો સાક્ષી કોણ હોય ? બીરબલે કહ્યું કે, આમ છે તો પછી શી હરકત છે. તમે જાઓ અને આંબાને જઇને કહો કે, નામદાર સરકાર મારાં વતી તમને સાક્ષી પુરવા ફરજ પાડેલ છે માટે તે વીશે તારો શું વીચાર છે. અને તું કેવી રીતે સાક્ષી આપવા ઈચ્છે છે. બીરબલનું આ અજાયબ જેવું બોલવું સાંભળી સકળ દરબાર જનોને કાંઈક નવાઇ જેવું લાગુ. આંબા આગળ જવાને વાદીને હજી બહુ વખત થયો નથી એટલામાં બીરબલ બોલી