આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
बृहत्
કાવ્યદોહન.
નરસિંહ મેહેતો
જુનાગઢનો વડનગરો નાગર–ગુજરાતનો
સૌથી જુનો કવિ.
શૃંગાર.
પદ ૧ લું — રાગ પ્રભાત
કોણ પુન્યે કરી નાર હું અવતરી, શ્રીહરિ દીન થઈ માન માગે;
અમર અવગતિ કહે, અકલ કો નવ લહે, તે કમલાવર કંઠ લાગે.
યજ્ઞ યાગે યજી યોગ ધ્યાને ધરી, બહુ વ્રત આદરી દેહ કષ્ટે;
તોય તે શ્રીહરી, સ્વપ્ને ન પેખીએ, તે હરી નિરખીએ પ્રેમ દૃષ્ટે.
શેષ સુખાસન શેજ સદા સહી, ભુવન જસ્ં વૈકુઠ કાહાવે;
તે પેં અધિક જે મંદીર માહરૂં, પ્રેમે પીતાંબર પલંગ આવે.
ભગતવછલતણું બિરદ પોતે વહે, વેદ પુરાણ એમ શાસ્ત્ર વાણી;
નરસિંહાચો સ્વામી ભલેરે મળિયો, કીધી કૃપા મુને દીન જાણી.
પદ ૨ જું
સફલ રજની હુઈ આજની અભિનવી, પલંગ બેસાડી વાહાલે હાસ્ય કીધું;
કર દર્પણ ધરી વદન અવિલોકવા, પ્રેમનું ચુંબન ગાલે કીધું.