પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫
આત્મલક્ષ અંગ

આત્મલક્ષ અંગ

કાશા આઘેરી જાણો વસ્ત, ત્યાં નહિ મળે ઉદયને અસ્ત;
ઉદય અસ્ત તો જ્યાં દરકાર, તે જાણોસધળો સંસાર;
તે સંસાર સ્થાન ચે સહૂન્ય, આંહીં અખા રાખે જો મૂન્ય. ૩૨૯

જે આકારને માને સત્ય, તે શૂન્ય્વાદી તેમાં નહિ વ્રત;
આકારનિરાકારને જે કે નથી, મિથ્યા વાદ કરતાં મરે બે મથી;
શૂન્યવાદી એ બેનું નામ, અખા બેથી પર હરિનું ધામ. ૩૩૦

ગુણવાડી ગુનને કહે હરિ, તે માયા રચિત જાય ઉસરી;
તે માટે ગુના ને સ્થળા શૂન્ય, ખટદર્શન મત પાપ ને પુન્ય;
કુટજ્ઞાની કહે સત્ય આકાશ, અખા એ મિથ્યા અધ્યાસ. ૩૩૧

સ્તુને ઉપમા શૂન્ય તણી, તે માટે વસ્તુ તે શૂન્ય જા ઘણી;
તે માટે શૂન્યવાદી નામ, શૂન્ય કએ લહ્યું મૂળગું ધામ;
તે માટે તે તેવા અખા, પ્રપંચ પાર નવ લગા લખા; ૩૩૨

તિ ઘણો આઘો પરમેશ, મન તણો ત્યાં નોહે પ્રવેશ;
અમન તે નર આઘેરો જાય, ત્યાં શબ્દ પહોંચે નહિ કાય;
સહુ ઉપાસે મનની વૃત્ય, અખા ન લાધે હરિની નર્ત્ય; ૩૩૩

શૂન્યવાદી શૂન્ય કૂચા ભખે, પણ શૂન્ય તત્ત્વને ના વ ઓળખે;
સાકારી આકારને ગાય, તે ત્યાં કાળે ફીટી જાય;
તે માટે તત્ત્વદર્શી ખરે, અખા જે સર્વે ઉફરો. ૩૩૪

સાચો અંતરજામી ગોર, બીજો ગુરુ બાજીગર મોહોર;
તેનો અર્થ કહેવા શોભવા, સંસારીનું મન લોભાવા;
પણ રીધા આવે જેમ રૂપૈયાવડે, તેમ અખા આતમથી આતમ જડે. ૨૩૫

શ્યાપર પરપંચ બેસે ઘાટ, જેનું મૂળા મિથ્યા છે નાટ;
જગત થયું તે ત્રણ ગુણ વડે, ત્રણ ગુણને તે માયા ઘડે;
તે માયા તો નહીં પ્રમાન, તો અખા શું થાએ જાણ. ૩૩૬

ઉંઘ્યા બરલે પઁડિતા કવી, જે મનની વૃત્તિ રહ્યા અભુભવી;
એક એકનું બોલ્યું નવ મળે, ખટ દર્શન જુજવાં આફળે;
સૌને હું મારાનો થાપ, અખા ન સમજે આપે આપ. ૩૩૭

દ્રષ્ટ પદારથ થાએ ફોક, ચર અચર ને ચૌદે લોક
ગુંથે ગ્રંથ વાંચે સાંભળે, તે ત્યાં કાળે સઘળા ટળે;
અખો શો રાખે નિરધાર, જે બોલું તે થાય સંસાર. ૩૩૮