પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯
પંચીકરણ.

ત્યારે પાછું વળવા કોણ, જેમ સાગરમાંહી મળ્યું લુણ;
વાસના લીન થયા પછી દેહ, જેમ પર્વતપર વરસે મેહ.
ભરાણું નીર ઝરી નીસરે, પાછળ ઉમેરો કોણ કરે;
તેમ ચાલે જ્ઞાનીની કાય, જીવ ચિન્હ ત્યાં સરવે જાય.
ઈશ્વર ચિન્હ ઉપજે કદાચ, તહાં ન પહોંચે વૈખરી વાચ;
દેવ ચરિત્ર ન આવે હાથ, જીવ પહોંચે તેને સાથ.
પરા ષશ્યંતિ મધ્યમા વૈખરી, ત્રણ લિંગની સત્તા ખરી;
કારણ વાસના લિંગ ને સ્થૂળ, ત્રણ લિંગ વાસનાનું મૂળ.
પરાપારથી કારણ લિંગ, તે પોષતાં આવે તુરંગ;
બાહેર આવે ઘોષ વેરાય, ઉત્તમ મધ્યમ શબ્દ ચાલ્યા જાય.
પણ સમઝવો છે દેહનો ઠાઠ, બીજાં સાધન માયાનો ઘાટ;
આદર વોણી પામે મુક્તિ, જો રૂડી પેરેસમઝે જુક્તિ.
વૈકુંઠસુધી એક માંડણી, ત્રૈલોકસુધી જો જો ગણી;
ત્રૈલોકનાથ ધરી આવે દેહ, ઠાઠ સફળમાં તેહનો તેહ.
અવાચ્ય કહાવે કૈવલ્યનામ, તે અવ્યક્ત માયાનો વિશ્રામ;
અવ્યક્તવિષે કૈવલ્યનું ભાન, તેજ ધરે ઈશ્વરનું માન.
ઈશ્વરને અવસ્થા ત્રણ્ય, જાગૃત સ્વપ્ન સુષુપ્તિઆવર્ણ;
ઈશ્વરને જ્યારે સુષુપ્તિ થાય, માયાઉપહિત નામ કેવાય.
તેને જ્યારે સ્વપ્નજ થયું, ત્યારે હરિણ્યગર્ભ નામ પામિયું;
તે ઈશ્વર જ્યારે જાગૃત ભોગવે, ત્યારે વૈરાટ નામ સંભવે.
વિદ્યામાં પડતો આભાસ, એટલે હવો જીવ પ્રકાશ.
તેનું નામ ધરાણું જીવ, તે ત્રણ અવસ્થા ભોગવે સદૈવ;
સુષુપ્તિ સ્વપ્ન ને જાગ્રત, તેનો જીવ સાક્ષી અવિગત.
અવસ્થા ભોગવે સાક્ષી રહ્યો, તે ત્રણ આભાસે ભાસી રયો.
જાગ્રતમાં જે પડ્યો આભાસ, વિશ્વ નામ તેહનો પ્રકાશ.
તેને જ્યારે સ્વપ્નજ હવું, તૈજસ નામ ત્યારે અનુભવ્યું;
તેને જ્યારે સુષુપ્તિ હવી, પ્રાજ્ઞ-સંજ્ઞા ત્યારે અનુભવી.
આભાસ ભોગવે છે એ ત્રણ, પોતે સાક્ષીવત રયો અન્ય;
સત્તર તત્ત્વની ઈશ્વરકાય, પંચપ્રાણ દશ ઈંદ્રિય થાય.