પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

.

આવી છે. એક વાર કૂટદંત નામે એક બ્રાહ્મણ એ વિષે બુદ્ધની સાથે ચર્ચા કરવા આવ્યો. એણે બુદ્ધને પૂછ્યું, "શ્રેષ્ઠ યજ્ઞ કયો, અને તેનો વિધિ શો ?"

"બુદ્ધ બોલ્યા :

પ્રાચીન કાળમાં મહાવિજિત નામે એક મોટો રાજા થઇ ગયો. એણે એક દિવસ વિચાર્યું, 'મારી પાસે પુષ્કળ સંપત્તિ છે. એકાદ મહાયજ્ઞ કરવામાં તેનો હું વ્યય કરૂં તો મને ઘણું પુણ્ય લાગશે.' એણે એ વિચાર પોતાના પુરોહિતને જણાવ્યો.

પુરોહિતે કહ્યું, 'મહારાજ, હાલ આપણા રાજ્યમાં શાન્તિ નથી. ગામો અને શહેરોમાં ધાડો પડે છે; લોકોને ચોરોનો બહુ ત્રાસ છે. આવી સ્થિતિમાં લોકો ઉપર (યજ્ઞ માટે) કર બેસાડવાથી આપ કર્તવ્ય વિમુખ થશો. કદાચ આપને એમ લાગશે કે ધાડપાડુ અને ચોરોને ફાંસીએ ચડાવવાથી, કેદ કરવાથી કે દેશપાર કરવાથી શાન્તિ સ્થાપી શકાશે; પણ તે ભૂલ છે. એ રીતે રાજ્યની અંધાધુંધીનો નાશ નહિ થાય; કેમકે એ ઉપાયથી જે તાબામાં નહિ આવે તે ફરીથી બંડો કરશે.

હવે એ તોફાન શમાવવાનો ખરો ઉપાય કહું. આપણા રાજ્યમાં જે લોકો ખેતી કરવા ઇચ્છે
૩૫