આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
ચિત્રદર્શનો
એ માનવસળેકડું છે શું?
સળેકડાથી ચે રેખાપાતળું
એ કિરણ છે મહાસૂર્ય નું—
અડગ અને અવ્યય,
અખંડ અને અપ્રમેય.
એ તપસ્વી છે
સાભ્રમતીના ઊંચા કિનારાનો:
રિદ્ધિવન્તા રાજનગરની હવેલીઓને
એ યોગીન્દ્ર છે અવધૂત.
એ તો સંસારી સાધુ છે;
ગૃહસ્થ થઇ સંન્યાસ પાળે છે.
નિરન્તર દુઃખને ન્હોતરતો
એશિયાના એક મહાયોગીન્દ્ર ઈશૂનો
એ અનુજ છે ન્હાનકડો.
પરપીડા પ્રીછી પ્રજળનાર
મહાવૈષ્ણવોનો વંશજ છેઃ
શ્રીનગરનો જાણે નરસિંહ મહેતો.
હૈયામાં એના હોળી સળગે છે,
જ્વલન્ત અંગારા જેવી છે એની આંખડીઓ,
વદને વિરાજેલી છે વિષાદછાયા,
દેશની દાઝથી દાઝે છે
છણછણતી એની દેહલતા.
વિરેાધીઓ પ્રતિ યે પ્રેમીલો,