પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કુંવરીઓનાં કહેણ આવ્યાં. રાજાજીએ પરણી લીધું.

નવી મા ઘરમાં આવી. રાણી રાજાના કાન ભંભેરવા લાગી. રાજાજી તો પોતાનું વચન વીસરી ગયા. કુંવર અને કુંવરીનાં દુઃખનો પાર ન રહ્યો.

ભાઇ-બહેન જ્યારે બહુ જ મુંઝાયા ત્યારે શું કરે? રાજમહેલમાં એનો એક રખેવાળ હતો; એનું નામ ભૈરવ. ભાઇ-બહેન એ ભૈરવભાઇની પાસે જઇને બેસે અને આંસુ ખેરે.

રાણીએ રાજાના કાન ભંભેર્યા. બીજે દિવસે ભૈરવભાઈની નોકરી તૂટી ગઇ. કુંવર-કુંવરીને છાતીએ ચાંપીને ભૈરવ ખૂબ રોયો. પછી ચાલી નીકળ્યો.

એમ કરતાં થોડાંક વરસો વીત્યાં.

એક દિવસ મધરાત હતી. તે વખતે રાણીના ઓરડામાં એક બુઢ્ઢો પુરૂષ ઊભેલો. એ પુરુષ રાજાનો વજીર હતો. બેય જણાં શી વાત કરતાં હતાં?

રાણી કહે: "જુઓ, આ હીરામાણેકનો ઢગલો. તમારે જોઇતો હોય તો મારું એક કામ કરો."

વજીર કહે: "શું કામ?"

રાણી કહે:"ખૂન."

વજીર કહે:"કોનુ?"

રાણી કહે:"રાજકુમારનું."

વજીર તો ચમકી ઊઠ્યો ને બોલ્યો કે 'અરેરે! રાણી માતા! એ કુંવરને તો મેં મારા બે હાથે રમાડ્યો છે. એ જ હાથે હું એને મારું?"

રાણી બોલી: "નહિ મારો તો હું તમારો પ્રાણ લઇશ." ધ્રૂજતો ધ્રૂજતો વજીર બોલ્યો: "શી રીતે મારું?" રાણી કહે: "આ કટારથી."

વજીર ધ્રૂજી ઊઠ્યો. એ બોલ્યો કે "ના,ના કટાર મારતાં